Saturday, August 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશે કહ્યું, પાકિસ્તાને 1971ના અત્યાચાર માટે માફી માગવી જોઈએ

બાંગ્લાદેશે કહ્યું, પાકિસ્તાને 1971ની સંયુક્ત સંપત્તિમાંથી બાંગ્લાદેશને તેનો હિસ્સો 4.3 બિલિયન ડોલર ચૂકવવા જોઈએ

dharmendravaghela by dharmendravaghela
2025-04-18 11:53:33
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે 15 વર્ષ પછી ગુરુવારે વિદેશ સચિવ સ્તરની વાતચીત થઈ. આ સમય દરમિયાન બાંગ્લાદેશે ઘણા વણઉકેલાયેલા મુદ્દાઓ ઉઠાવ્યા. બાંગ્લાદેશના વિદેશ સચિવ મોહમ્મદ જશીમ ઉદ્દીને 1971ના અત્યાચાર માટે પાકિસ્તાન પાસેથી ઔપચારિક માફી માંગવાની માગ કરી. બાંગ્લાદેશે કહ્યું કે પાકિસ્તાને 1971ની સંયુક્ત સંપત્તિમાંથી બાંગ્લાદેશને તેનો હિસ્સો 4.3 બિલિયન ડોલર (રૂ. 36 હજાર કરોડ અથવા 52 હજાર કરોડ રૂપિયા) ચૂકવવા જોઈએ, જ્યારે બંને દેશો એક હતા. આ સાથે, તેણે 1970માં આવેલા ચક્રવાત દરમિયાન બાંગ્લાદેશ (તે સમયે પૂર્વ પાકિસ્તાન)ને મદદ કરવા બદલ મળેલા 200 મિલિયન ડોલર (લગભગ 2400 કરોડ રૂપિયા) પણ ચૂકવવા જોઈએ.
બાંગ્લાદેશે ઢાકા કેમ્પમાં રહેતા 3 લાખથી વધુ ફસાયેલા પાકિસ્તાનીઓને પરત લાવવાનો મુદ્દો પણ ઉઠાવ્યો. બાંગ્લાદેશમાં તેમને ‘બિહારી’ કહેવામાં આવે છે. તેઓ મૂળ ઉર્દૂભાષી મુસ્લિમ સ્થળાંતર કરનારા છે જેઓ 1947માં ભારતના ભાગલા પછી બિહાર અને ઉત્તર પ્રદેશથી પૂર્વ પાકિસ્તાન (બાંગ્લાદેશ)માં સ્થાયી થયા હતા.1971ના બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ પછી આ લોકોએ પશ્ચિમ પાકિસ્તાન પ્રત્યે વફાદારી દર્શાવી, જેના કારણે તેમને બાંગ્લાદેશમાં ભેદભાવ અને અત્યાચારનો સામનો કરવો પડ્યો. તેમને ‘પાકિસ્તાન સમર્થક’ માનવામાં આવતા હતા અને તેમની સામે બદલો લેવામાં આવતો હતો. તેમની મિલકતો જપ્ત કરવામાં આવી અને તેઓએ હિંસા, બળાત્કાર અને હત્યાનો સામનો કરવો પડ્યો.
ત્યાર બાદ ભારતીય સેના અને રેડ ક્રોસે તેમની સલામતી માટે ઢાકા અને અન્યત્ર અનેક કામચલાઉ રાહત શિબિરો સ્થાપ્યા. બાંગ્લાદેશની સ્વતંત્રતા પછી, લાખો લોકો રાહત શિબિરોમાં દયનીય પરિસ્થિતિમાં જીવી રહ્યા છે, અને ન તો તેમને પાકિસ્તાન દ્વારા દત્તક લેવામાં આવ્યા છે, ન તો બાંગ્લાદેશ દ્વારા તેમને સંપૂર્ણ નાગરિકતા આપવામાં આવી છે.એક પત્રકારે જશીમ ઉદ્દીનને પૂછ્યું કે, શું ઢાકા હાલમાં પાકિસ્તાન તરફ ઝુકાવ ધરાવે છે કારણ કે તે પહેલા ભારત તરફ ઝુકાવ ધરાવતું હતું. આ અંગે તેમણે કહ્યું કે બાંગ્લાદેશ પાકિસ્તાન સાથે આદર અને પરસ્પર લાભના આધારે વાતચીત કરવા માગે છે. તેમણે કહ્યું કે, બાંગ્લાદેશ તેની વિદેશ નીતિ મુજબ તમામ પડોશી દેશો સાથે સંબંધો આગળ વધારવા પર ભાર મૂકે છે. દક્ષિણ એશિયામાં પાકિસ્તાન બાંગ્લાદેશના મુખ્ય પડોશીઓમાંનું એક છે. બાંગ્લાદેશી વિદેશ સચિવે જણાવ્યું હતું કે, પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડાર 27 અને 28 એપ્રિલે બાંગ્લાદેશની મુલાકાત લેશે. આમના બલોચે જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં સીધી ફ્લાઇટ્સ પણ શરૂ થશે.
જાશીમ ઉદ્દીને તેમના પાકિસ્તાની સમકક્ષ અમના બલોચ સાથે વિદેશ કાર્યાલય સલાહપછી મીડિયાને જણાવ્યું હતું કે, અમે પાકિસ્તાન સાથે ઐતિહાસિક રીતે વણઉકેલાયેલા મુદ્દાઓ ઉઠાવ્યા છે. બાંગ્લાદેશી વિદેશ સચિવે કહ્યું- અમે કહ્યું હતું કે ઐતિહાસિક રીતે વણઉકેલાયેલા મુદ્દાઓને ઉકેલવાનો આ યોગ્ય સમય છે. આ મુદ્દાઓને પરસ્પર લાભ અને હિત માટે ઉકેલવાની જરૂર છે. પાકિસ્તાનના વિદેશ સચિવ અમના બલોચે બાંગ્લાદેશ સરકારના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસ અને વિદેશ બાબતોના સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસૈનને અલગથી મળ્યા.

Tags: bangladesh seeks pakistan apology
Previous Post

સુપ્રીમના આદેશ બાદ વક્ફ કાયદો ઘડાયો છે : જેપીસી અધ્યક્ષ જગદંબિકા પાલે

Next Post

સોનગઢ ગામમાં પુલ પાસે કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિને ઇજા

dharmendravaghela

dharmendravaghela

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
સોનગઢ ગામમાં પુલ પાસે કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિને ઇજા

સોનગઢ ગામમાં પુલ પાસે કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિને ઇજા

ભાવનગરના લીલા ગ્રુપની હોટેલ સરોવર પોર્ટિકો પ્રિમિયર દ્વારા ગંગાદેરી સંકુલની સફાઈ

ભાવનગરના લીલા ગ્રુપની હોટેલ સરોવર પોર્ટિકો પ્રિમિયર દ્વારા ગંગાદેરી સંકુલની સફાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.