કાશ્મીર ખીણના પર્યટન માટે સૌથી મશહુર પહેલગામમાં થયેલા ત્રાસવાદી હુમલામાં આતંકીઓ યોગ્ય સમયની રાહમાં હતા તે નિશ્ચિત થયુ છે અને આ હુમલામાં છ ત્રાસવાદીઓ સામેલ હતા. સમાચાર સંસ્થાઓના અહેવાલ મુજબ હુમલાખોર ત્રાસવાદીઓ ટુરીસ્ટના સ્વરૂપમાં તા.1થી7 એપ્રિલ સુધી પહેલગામ અને તેની આસપાસના ક્ષેત્રમાં જ હતા અને સમગ્ર હુમલાને અંજામ આપવા પુરી રીતે રેસી કરી હતી.
સહેલાણીઓ ખાસ કરીને કયારે સૌથી વધુ ખુલ્લામાં હોય છે અને આ માટે તેઓએ સ્થાનિક સ્લીપર સેલની મદદ લીધી હતી જેથી કોઈને શંકા જાય નહી. હુમલાના સ્થળેથી એક નંબર પ્લેટ વગરની મોટર સાયકલ મળી છે જે આ અંગે લોકલ સપોર્ટની તપાસમાં મદદરૂપ બનશે.આ હુમલામાં ધ રેસીસ્ટન્ટ ફોર્સ જે ટી.આર.એસ.ના નામે ઓળખાય છે તેણે જવાબદારી લીધી છે તેનો વડો ઐહુલ્લાહ જે ખુદને કમાન્ડર તરીકે ઓળખાવે છે તે હાલ પાકિસ્તાનમાં છે અને તેની આ હુમલામાં પાકિસ્તાનની ભૂમિકા પણ છે તે નિશ્ચિત બન્યુ છે.
આ હુમલામાં એકે-47 રાઈફલથી સજજ અને પુરતા કારતૂસના હારડા સાથે આવેલા આતંકીઓ ઓચિંતા જ નજીકની ઝાડીમાંથી બહાર આવ્યા હતા અને તેઓએ સેન્યના જવાનો જેવોજ યુનિફોર્મ પહેર્યા હતા અને ફુટ પેટ્રોલીંગ કરતા હોય તેમ અલગ અલગ રીતે સહેલાણીઓની જૂથની આસપાસ પહોંચી ગયા હતા. તેઓ કોઈ સલામત ચેકીંગ કરતા હોય તેમ પહેલા ઓળખપત્ર માંગ્યા અને નામ પૂછયું જેઓ હિન્દુ હતા. તેમના પુરુષને નિશાન બનાવ્યા અને ગોળીબાર શરુ થતા જ જબરો દહેશતનો માહોલ હતો આતંકીઓ સેન્યના જવાનો પહેરે છે તેવા હેલ્મેટ પહેર્યા હતા અને તેમાં કેમેરા પણ લાગ્યા હતા તેવું સ્થાનિક સહેલાણીઓએ જણાવ્યું હતું અને જો સલામતી દળો તેમની સામે આવે તો તેની પણ તૈયારી હતી પણ બહુ ઝડપથી તેઓએ આ ઓપરેશન પાર પાડીને સલામત નાસી ગયા જે દર્શાવે છે કે સ્થાનિક ‘કવર’ તેમને મોજૂદ હતું.