જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા મૃતકના
પરિવારજનોને રાજ્ય સરકારે આર્થિક સહયની જાહેરાત કરી છે.CM ભૂપેન્દ્ર પટેલે મૃતકના પરિજનોને
₹5 લાખની સહાયની જાહેરાત કરી છે. જ્યારે ઈજાગ્રસ્ત પ્રવાસીઓને રૂ.50,000ની સહાય જાહેર કરવામાં
આવી છે.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલ આતંકી હુમલાનો ભોગ બનનાર પરિવારોની પડખે
ગુજરાત સરકાર પૂરી સંવેદના સાથે ઉભી છે. રાજ્ય સરકાર આ હુમલામાં જીવ ગુમાવનાર ગુજરાતના
પ્રવાસીઓના પરિવારજનોને રૂપિયા 5 લાખની સહાય તેમજ રાજ્યના ઇજાગ્રસ્ત પ્રવાસીઓને રૂપિયા
50,000 ની સહાય કરશે.