Wednesday, November 12, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત

બસમાં લગભગ 50 જેટલા લોકો હતા, મૃત્યુઆંક વધવાની આશંકા

dharmendravaghela by dharmendravaghela
2025-10-15 11:53:11
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રાજસ્થાનના જૈસલમૈરમાં બપોરે એક ખાનગી બસમાં આગ લાગતા 20 લોકોના દર્દનાક મોત થયા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ બસ જૈસલમેરથી જોધપુર આવી રહી હતી. તે સમયે બપોરે લગભગ ત્રણ વાગે થઈયાત ગામની જોડે બસના પાછલા ભાગમાં અચાનક ધુમાડો નીકળવા લાગ્યો. ડ્રાઇવરે બસને રસ્તાના કિનારે લઈ જઈ રોકવાનો પ્રયત્ન કર્યો. આમ છતાં પળભરમાં આગે આખા વાહનને ઝપેટમાં લઈ લીધું. બસ ગણતરીની ક્ષણોમાં આગના ગોળામાં રૂપાંતર પામી.
આ કરુણાંતિકા અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રાથમિક જાણકારી મુજબ આ દુર્ઘટનામાં કેટલાય મુસાફરો દાઝીને મૃત્યુ પામ્યા છે. જૈસલમેરના જિલ્લા કલેક્ટર પ્રતાપસિંહે આ ઘટના અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે સંલગ્ન અધિકારીઓને તત્કાળ રાહત તેમજ તબીબી સહાય સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે દાઝેલાઓને જવાહર હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જોધપુર જઈ રહેલી બસમાં લગભગ પચાસેક મુસાફરો સવાર હતા. આ જોતાં મૃત્યુઆંક હજી પણ વધી શકે છે. આ બનાવના પગલે રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્મા ખાસ વિમાનથી જૈસલમેર પહોંચ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે જૈસલમેરમાં બસમાં લાગેલી આગની ઘટના હૃદયવિદારક છે. આ દુઃખદ ઘટનાનો ભોગ બનેલા મૃતકોના કુટુંબીજનો પ્રત્યે મારી સંવેદના છે. ઇજાગ્રસ્તોને દરેક પ્રકાસની સહાય પૂરી પાડવાની સૂચના આપી દેવાઈ છે. પોલીસે આગ લાગવાના કારણોની તપાસ શરૂ કરી છે.

Tags: Bus aagjaisalmerRajasthan
Previous Post

પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર

Next Post

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકા-ભારત ટ્રેડ ડીલ ફાઇનલ, હવે 50 ટકા ટેરિફ થશે સમાપ્ત
આંતરરાષ્ટ્રીય

અમેરિકા-ભારત ટ્રેડ ડીલ ફાઇનલ, હવે 50 ટકા ટેરિફ થશે સમાપ્ત

November 11, 2025
ડૉ.અહેમદે અમદાવાદના નરોડા સહિત ત્રણ શહેરોમાં રેકી કરેલી
તાજા સમાચાર

ડૉ.અહેમદે અમદાવાદના નરોડા સહિત ત્રણ શહેરોમાં રેકી કરેલી

November 11, 2025
દિલ્હી બ્લાસ્ટ પહેલાં કાર બદરપુર બોર્ડરથી પ્રવેશી હતી
તાજા સમાચાર

દિલ્હી બ્લાસ્ટ પહેલાં કાર બદરપુર બોર્ડરથી પ્રવેશી હતી

November 11, 2025
Next Post
‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!

'હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!

બોટાદના હડદડની ઘટનામાં પોલીસે ધરપકડ કરેલ ૪૭ વ્યક્તિને ભાવનગર જેલ હવાલે કરાયા

બોટાદના હડદડની ઘટનામાં પોલીસે ધરપકડ કરેલ ૪૭ વ્યક્તિને ભાવનગર જેલ હવાલે કરાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.