અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ એર ઇન્ડિયાની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં હવે ડીજીસીએ કરેલી એર ઇન્ડિયાની તપાસમાં ઇન્ટરનલ ઓપરેશનમાં 100 નિયમનો ભંગ પ્રકાશમાં આવ્યો છે. ડીજીસીએ એર ઇન્ડિયાને ચાર શો-કોઝ નોટીસ ઇસ્યુ કરી હતી.આ નિયમ ભંગ ક્રૂ ટ્રેનિગ, આરામ, ડ્યુટી અવર્સ અને એરફિલ્ડ લાયકાત સાથે જોડાયેલા છે. આ નિયમ ભંગમાંથી 7 ને લેવલ એકની કેટેગરીમાં મુકવામાં આવ્યો છે. જે ગંભીર સુરક્ષા જોખમ માનવામાં આવે છે. જેમાં તાત્કાલિક સુધારો કરવાની જરૂર છે.
આ અંગે એરઇન્ડિયાએ ડીજીસીએની તપાસ અહેવાલનો સ્વીકાર કર્યો છે. તેમજ કહ્યું છે કે સમય મર્યાદામાં આ અંગે પ્રતિક્રિયા આપશે તેમજ સુધારાની વિગત પણ ડીજીસીએ મોકલશે. એર લાઈન કંપનીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એરલાઈન્સ નિયમિત પણે ઓડીટ કરવામાં આવે છે. જેના થકી સિસ્ટમની તપાસ અને તેમાં સુધારો થઈ શકે. ડીજીસીએ દ્વારા એર ઇન્ડિયાનું વાર્ષિક ઓડિટ જુલાઈ માસમાં થયું છે. જેમાં પારદર્શિતા સાથે સહયોગ આપવામાં આવ્યો છે. એર ઇન્ડિયા મુસાફરોની સુવિધા અને સુરક્ષાને સર્વોચ્ય પ્રાથમિકતા આપે છે.
ડીજીસીએ દ્વારા 1 થી 4 જુલાઈ સુધી એર ઇન્ડિયાની ગુરુગ્રામ સ્થિત મુખ્ય ઓફીસના વિસ્તુત ઓડિટ કરવામાં આવ્યું હતું. જેમાં તપાસ દરમિયાન ક્રૂ ટ્રેનિંગ, આરામ , ડ્યુટી અવર્સ અને એરફિલ્ડ લાયકાત સહિત અનેક ઇન્ટરલ ઓપરેશનલમાં નિયમોનો ભંગ જોવા મળ્યો હતો.આ તપાસ બાદ 23 જુલાઈના રોજ ડીજીસીએ એર ઇન્ડિયાને ચાર શો-કોઝ નોટીસ ઇસ્યુ કરી હતી. આ પૂર્વે 21 જુનના રોજ ડીજીસીએ એર ઇન્ડિયાના ત્રણ અધિકારીઓને તાત્કાલિક ક્રૂ શિડયુલિંગ અને રોસ્ટિંગ સબંધી તમામ જવાબદારીમાંથી દુર કરવાનો આદેશ આપ્યો હતો.