Wednesday, October 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકા માટે ભારત સાથેના સંબંધો મહત્ત્વપૂર્ણ,ટેરિફ વિવાદ વચ્ચે જયશંકર-રૂબિયોની મુલાકાત

રૂબિયોએ ભારત સાથેના સંબંધોને મહત્ત્વ આપ્યું

dharmendravaghela by dharmendravaghela
2025-09-23 12:12:27
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારત અને અમેરિકા વચ્ચે વધતા તણાવપૂર્ણ સંબંધો વચ્ચે, વિદેશ મંત્રી એસ. જયશંકર અને તેમના અમેરિકન સમકક્ષ માર્કો રૂબિયોની મુલાકાત સોમવારે ન્યુયોર્કમાં થઈ. આ બેઠક એવા સમયે થઈ જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નવા H-1B વિઝા પર $100,000નો ટેક્સ લગાવવાની જાહેરાત કરી, જેના કારણે ભારતના IT ક્ષેત્રને મોટો ફટકો પડ્યો.સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બહાર થયેલી આ મુલાકાતમાં બંને નેતાઓનું ઉષ્માભર્યું સ્વાગત દર્શાવે છે કે આર્થિક મતભેદો હોવા છતાં, બંને દેશો પરસ્પર સંબંધો જાળવી રાખવા ઈચ્છે છે.
રૂબિયોએ ભારત-અમેરિકાની ભાગીદારીને ‘અત્યંત મહત્ત્વપૂર્ણ’ ગણાવી હતી અને સંરક્ષણ, વેપાર, ઊર્જા, દવા અને ક્રિટિકલ મિનરલ્સ જેવા ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવવાનું વચન આપ્યું હતું. તેમણે એ પણ જણાવ્યું કે અમેરિકા માટે ભારતનું સ્થાન ઘણું મહત્ત્વનું છે અને ઈન્ડો-પેસિફિક અને ક્વાડ ભાગીદારીમાં સાથે મળીને કામ કરવા પર તેમણે વિશેષ ભાર મૂક્યો હતો.એસ. જયશંકરે પણ આ વાતચીતને સકારાત્મક ગણાવી અને ‘X’ પર પોસ્ટ કર્યું, ‘અમારી વાતચીતમાં ઘણા દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા થઈ. અમેરિકા સાથે સતત સંપર્કમાં રહેવું અને પ્રાથમિકતાવાળા ક્ષેત્રોમાં પ્રગતિ કરવું મહત્ત્વનું છે. અમે સંપર્કમાં રહીશું.’
ટ્રમ્પ દ્વારા વિઝા ફીમાં અચાનક કરાયેલા વધારાની જાહેરાતને કારણે આ બેઠક પર ઊંડી અસર પડી હતી. ભારત એચ-1બી વિઝાનો સૌથી વધુ ઉપયોગ કરતો દેશ છે. ગયા વર્ષે 71% વિઝા ભારતીય નાગરિકોને મળ્યા હતા, જ્યારે ચીનને 12%થી ઓછા વિઝા મળ્યા હતા.
નિષ્ણાતોના મતે, આ અચાનક થયેલા વધારાને કારણે ભારતીય આઈટી કંપનીઓનો ખર્ચ ઝડપથી વધી શકે છે. આ મુશ્કેલી એવા સમયે આવી છે જ્યારે બંને દેશો વચ્ચે પહેલેથી જ વેપાર વિવાદ ચાલી રહ્યો છે.આ મુશ્કેલીઓ હોવા છતાં, વોશિંગ્ટન અને નવી દિલ્હીએ તેમના રાજદ્વારી સંબંધો જાળવી રાખ્યા છે. રૂબિયો અને જયશંકર છેલ્લે જુલાઈમાં ક્વાડના વિદેશ મંત્રીઓની બેઠકમાં મળ્યા હતા.

Tags: jaishankar rubio meetingUSA
Previous Post

પ્રથમ નોરતાના દિવસે રાજપરા ખોડિયાર માતાજીના મંદિર ખાતે ભાવિકો ઉમટી પડ્યા

Next Post

મેડિકલ ક્ષેત્રના કર્મીઓને H1B વિઝા ફીમાં અપાઈ શકે છે છૂટ

dharmendravaghela

dharmendravaghela

Related News

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે
તાજા સમાચાર

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે

October 14, 2025
દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ
તાજા સમાચાર

દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ

October 14, 2025
કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી
તાજા સમાચાર

કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી

October 14, 2025
Next Post
મેડિકલ ક્ષેત્રના કર્મીઓને H1B વિઝા ફીમાં અપાઈ શકે છે છૂટ

મેડિકલ ક્ષેત્રના કર્મીઓને H1B વિઝા ફીમાં અપાઈ શકે છે છૂટ

રેવન્યુ સરપ્લસ ધરાવતા 16 રાજ્યમાં ગુજરાત અને યુપી સામેલ

રેવન્યુ સરપ્લસ ધરાવતા 16 રાજ્યમાં ગુજરાત અને યુપી સામેલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.