ઉત્તર પ્રદેશના મઉ જિલ્લાની ઘોસી વિધાનસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય સુધાકરસિંહનું નિધન થયું છે. 60 વર્ષીય સુધાકર સિંહને બે દિવસ પહેલા છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ લખનઉની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા. સમાજવાદી પાર્ટીએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર આ દુઃખદ સમાચારની જાણકારી આપી હતી.તેમના નિધનથી સમાજવાદી પાર્ટી સહિત રાજ્યના રાજકીય વર્તુળોમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. પાર્ટીએ ‘X’ પર લખ્યું, “ઘોસી વિધાનસભાના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય સુધાકર સિંહજીનું નિધન અત્યંત હૃદયવિદારક છે. તેમના અકાળે અવસાનથી તેમના પરિવાર, સમર્થકો અને સમાજવાદી પાર્ટીને અપૂર્ણીય ક્ષતિ થઈ છે.”સુધાકર સિંહ એ જ નેતા હતા જેમણે 2022ની અત્યંત ચર્ચિત ઘોસી વિધાનસભા પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિગ્ગજ નેતા દારા સિંહ ચૌહાણને કાંટાની ટક્કરમાં હરાવીને જીત મેળવી હતી. આ જીતે પૂર્વાંચલ વિસ્તારમાં સમાજવાદી પાર્ટીને નવી મજબૂતી આપી હતી.





