ભાવનગર જિલ્લાના પ્રભારી તથા વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પારેખ કોલેજ, મહુવા ખાતે કરાશે.
૭૬માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે તા.૧૫-૦૮-૨૦૨૨ના રોજ ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન ભાવનગર જિલ્લાના પ્રભારી તથા વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાનાં અધ્યક્ષસ્થાને કે.વી.પારેખ કોલેજ, મોટા જાદરા રોડ, મહુવા ખાતે કરવામાં આવ્યું છે. મંત્રી સવારે ૯ કલાકે ધ્વજવંદન કરાવીને કાર્યક્રમની વિધિવત શરૂઆત કરાવશે. આ અવસરે કલેકટર જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા અને જિલ્લાના વરિષ્ટ અધિકારીઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ, ગણમાન્ય નાગરિકો અને મહુવાના નગરજનો ઉપસ્થિત રહેશે.