Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મોદી સરકારના ટોપ 5 મંત્રીઓમાં નીતિન ગડકરી ટોપ પર

અમિત શાહ ત્રીજા નંબરે; સી વોટર સર્વેમાં ખુલાસો

aaspassdaily by aaspassdaily
2022-08-12 10:29:04
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

તાજેતરમાં એક સર્વેમાં મોટો ખુલાસો થયો છે તે પ્રમાણે મોદી સરકારના ક્યા મંત્રી લોકોમાં સૌથી વધારે લોકપ્રિય છે અને તેમના કામથી લોકો પ્રભાવિત થયા છે.તેને લઈને રિપોર્ટ સામે આવ્યો છે.
દેશમાં વધતી મોંઘવારીને લઈને વિપક્ષ મોદી સરકાર પર માછલા ધોઈ રહ્યું છે. ત્યારે હવે તાજેતરમાં એક ચેનલ દ્વારા સી વોટર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેમાં દેશમાં ઓલટાઈમ ટોપ 5 પ્રધાનમંત્રીઓથી લઈને જનતાનો મત માગવામાં આવ્યો હતો. જેમાં પ્રધાનમંત્રી મોદી 44.5 ટકા વોટ સાથે ટોપ પર રહ્યા હતા. તો વળી આ સર્વેમાં મોદી સરકારના ટોપ 5 મંત્રીઓને લઈને પણ જનતાનો મત માગવામાં આવ્યો હતો. જેમાં મોદી સરકારના મંત્રીઓમાં નીતિન ગડકરી ટોપ પર રહ્યા હતા.
મોદી સરકારમાં દેશની જનતા ક્યા મંત્રીઓેને સૌથી વધારે માને છે આ વાતનો ખુલાસો સર્વેમાં થયો છે. આ સર્વેથી જાણવા મળે છે કે, કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના મંત્રી નીતિન ગડકરી 22 ટકા વોટ સાથે સર્વેમાં ટોપ પર રહ્યા છે. મોદી સરકારના મંત્રાલયમાં આ સર્વેએ નીતિન ગડકરીને ટોચનું સ્થાન આપ્યું છે, તો વળી બીજા નંબર પર કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ આ લિસ્ટમાં 20 ટકા વોટ સાથે બીજા નંબર પર છે. રાજનાથ સિંહે રક્ષામંત્રાલયના નેતૃત્વ કરતા દેશના માટે કેટલાય ઉપયોગી હથિયારોની ખરીદી કરી અને ભારતીય સેનાની તાકાતમાં ખૂબ વધારો કર્યો છે.

મોદી સરકારના મંત્રાલયમાં ત્રીજા નંબર પર 17 ટકા વોટ સાથે ગૃહમંત્રી અમિત શાહ છે. અમિત શાહે ગૃહમંત્રાલયની જવાબદારી સંભાળ્યાની સાથે દેશ માટે કેટલાય ઐતિહાસિક નિર્ણયો લીધા. અમિત શાહના નેતૃત્વમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે આર્ટિકલ 370 અને 35 એ, રામમંદિર નિર્માણ, ત્રિપલ તલ્લાક જેવા ઐતિહાસિક નિર્ણયો લેવાયા. આ ઉપરાંત અમિત શાહે પોતાના કુશળ નેતૃત્વના બળ પર દેશમાં થઈ રહેલી ચૂંટણી પર સંગઠનને આગળ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. અમિત શાહને ભાજપના ચાણક્ય કહેવાય છે.
ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરને આ લિસ્ટમાં ચોથા નંબર પર રાખવામાં આવ્યા છે. આ સર્વેમાં એસ. જયશંકરને દેશની જનતાએ 5 ટકા વોટ સાથે ચોથા નંબર પર જગ્યા આપી છે. એસ. જયશંકર મોદી સરકારમાં વર્ષ 2019ના કાર્યકાળમાં જોડાયા. આ અગાઉ તેઓ વિદેશ સચિવ હતા. સુષ્મા સ્વરાજના નિધન બાદ 2019માં વિદેશ મંત્રાલયની કમાન તેમને સોંપવામાં આવી. એસ. જયશંકરે પોતાના કામને બખૂબી નિભાવ્યું છે અને મોદીમાં પહેલા એવા મંત્રી છે, જેમણે ચૂંટણી નથી લડી.
સી વોટર સર્વેમાં સ્મૃતિ ઈરાનીને જનતાએ 5 ટકા વોટ આપ્યા છે, તેની સાથે જ તેઓ આ લિસ્ટમાં પાંચમા નંબર પર રહ્યા છે. સ્મૃતિ ઈરાનીને અલ્પસંખ્યક કાર્ય મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. મુખ્તાર અબ્બાસ નકવીના રાજીનામા બાદ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ઉપરાંત તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે. આ અગાઓઉ પણ કેટલાય મહત્વના મંત્રાલયની જવાબદારી સંભાળી ચુક્યા છે, જેમાં માનવ સંસાધન વિકાસ મંત્રાલય, માહિતી અને પ્રાસરણ ખાતું અને ટેક્સટાઈલ મંત્રાલયની જવાબદારી સંભાળી ચુક્યા છે.

Tags: indiaModi cabinetranking
Previous Post

જમ્મૂ-કશ્મીરમાં ફરી ટાર્ગેટ કિલિંગ, બિહારનાં પ્રવાસી શ્રમિકની હત્યા

Next Post

રેવડી પર રાજકારણ : જયંત ચૌધરીએ CJI પર જ ઉઠાવ્યા સવાલ!

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
રેવડી પર રાજકારણ : જયંત ચૌધરીએ CJI પર જ ઉઠાવ્યા સવાલ!

રેવડી પર રાજકારણ : જયંત ચૌધરીએ CJI પર જ ઉઠાવ્યા સવાલ!

યમુનામાં યાત્રીઓથી ભરેલી બોટ ડૂબી, બે બાળકો સહિત ચાર મૃતદેહ મળ્યા

યમુનામાં યાત્રીઓથી ભરેલી બોટ ડૂબી, બે બાળકો સહિત ચાર મૃતદેહ મળ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.