અમેરિકા અને ઈરાન વચ્ચે ઈસ્લામાબાદમાં શરૂ થનારી બીજા તબક્કાની શાંતિ મંત્રણા પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના નેતૃત્વમાં ટીમને ઈસ્લામાબાદ રવાના કરી છે તો ઈરાન આ વખતે શાંતિ વાર્તામાં ભાગ લેવા ઈચ્છુક હોય તેમ લાગતું નથી. ઈરાનના સ્પીકર મોહમ્મદ બાગેલ ગાલિબાફે કહ્યું કે, ધમકીના પડછાયામાં અમેરિકા સાથે કોઈપણ પ્રકારની શાંતિ વાર્તા થઈ શકે નહીં. જોકે પાકિસ્તાન તરફથી ઈરાનનું પ્રતિનિધિમંડળ વાટાઘાટોમાં સામેલ થશે તેમ કહેવામાં આવ્યું છે.
ટ્રમ્પની ધમકી અને હોર્મુઝની ખાડીમાં અમેરિકાની નાકાબંધીથી ઈરાન નારાજ છે અને આ કારણે ઈસ્લામાબાદ જવાનો ઈનકાર કર્યો હતો, જે બાદ પાકિસ્તાન તરફથી ઈરાનને મનાવવાની સતત કોશિશ થઈ રહી છે. હરાનની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘેર ગાલિબાફે ટ્રમ્પને સણસણતો જવાબ આપ્યો છે.
ગાલિબાફે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને લખ્યું, નાકાબંધી કરીને તથા સીઝફાયર તોડીને આ પ્રકારની વાતીચીત ન થઈ શકે. ટ્રમ્પ હોર્મુઝ વિસ્તારમાં સતત નાકાબંધી કરીને અને યુદ્ધવિરામનો ભંગ કરીને આ વાટાઘાટોના ટેબલને પોતાની કલ્પનામાં શરણાગતિની ટેબલમાં બદલવા માંગે છે અથવા તો ફરીથી યુદ્ધને યોગ્ય ઠેરવવા માંગે છે. પરંતુ અમે ધમકીઓના દબાણમાં કોઈપણ પ્રકારની વાટાઘાટો કરવા તૈયાર નથી. છેલ્લા બે અઠવાડિયામાં અમે યુદ્ધના મેદાનમાં અમારા નવા પત્તા ખોલવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી છે.

