14 જૂન સમગ્ર વિશ્વમાં વિશ્વ રક્તદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા આ દિવસની ઉજવણી વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી શ્રી દક્ષિણામૂર્તિ બાલપમરાટ ખાતે સવારે રક્તદાન અંગે જનજાગૃતિ ફેલાવવાના માધ્યમથી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ઉપલબ્ધ કરાવેલ પોસ્ટર પ્રદર્શન સ્કાઉટ ગાઈડને બતાવવામાં આવ્યું તેમજ તે અંગે માહિતી આપવામાં આવી
ત્યરબાદ હરક્તદાન વિશેની સમજ જિલ્લા મંત્રી અજયભાઈ ભટ્ટ દ્વારા આપવામાં આવી જેમાં રક્તદાન કરતા પહેલા શું ધ્યાન રાખવું જોઈએ, રક્તદાન કર્યા પછી શું કાળજી રાખવી જોઈએ, કઈ ઉંમરથી રક્તદાન કરી શકાય, રક્તદાન શા માટે કરવું જોઈએ તેમજ ભાવનગરમાં આવેલ વિવિધ બ્લડ બેન્ક વિશેની માહિતી વિદ્યાર્થીઓને અપાય સ્કાઉટ ગાઈડ જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારોમા રક્તદાન જાગૃતિ અંગેની પત્રિકાઓનું વિતરણ પણ આ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.





