Thursday, June 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગરમાં ‘શાળા પ્રવેશોત્સવ’ના બીજા દિવસે ૩,૯૨૦ વિદ્યાર્થીઓનો પ્રવેશ

૯ રૂટ પર પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ: ઉત્સાહભેર ઉજવણી

dharmendravaghela by dharmendravaghela
2026-06-25 12:12:22
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2026ના બીજા દિવસે ભાવનગર શહેરની વિવિધ શાળાઓમાં પ્રવેશોત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સુચારૂ સંચાલન માટે કુલ ૯ અલગ-અલગ રૂટ નક્કી કરાયા હતા. જેમાં બાલવાટિકામાં ૧,૦૨૩ બાળકો, ધોરણ-૯માં ૧,૯૭૧ અને ધોરણ-૧૧માં ૯૨૬ મળી કુલ ૩,૯૨૦ વિદ્યાર્થીઓને શાળાઓમાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો.
આ નવેય રૂટ પર કૃષિ મંત્રી અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, મેયર ઉષાબેન તલરેજા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, રિલીફ કમિશનર આલોકકુમાર પાંડે, મ્યુનિસિપલ કમિશનર ડૉ. નરેન્દ્ર કુમાર મીના, ડેપ્યુટી મેયર અશોકભાઈ બારૈયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કિશનભાઈ મહેતા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ડૉ. નિકુંજભાઈ મહેતા અને ડેપ્યુટી ચેરમેન જાગૃતિબેન ગાંધી ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરાંત એમ.કે. ભાવનગર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. ભરતભાઈ રામાનુજ, શાસકપક્ષના નેતા લાલુભા લાળા, અન્ડર સેક્રેટરી હેતલકુમાર બી. પટેલ, ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર યોગેશકુમાર દેસાઈ, સીટી મામલતદાર કે.બી. ચાંદલિયા, દંડક રિંકુબેન માંગુકીયા, ડેપ્યુટી કમિશનર જિનેશ મહેતા અને એસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ બિમલકુમાર ભટ્ટ સહિતના અધિકારીઓએ વિવિધ શાળાઓમાં હાજરી આપી હતી.
કાર્યક્રમ દરમિયાન બાલવાટિકાના બાળકોનું કંકુ-તિલકથી સ્વાગત કરાયું હતું. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે આચાર્યો, શિક્ષકો, વાલીઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Tags: bhavnagarjitubhai waghanishala praveutsav
Previous Post

મહારાષ્ટ્રમાં બાળ લગ્ન અટકાવવા માટે નવો નિયમ : લગ્ન કાર્ડ પર જન્મ તારીખ લખવી પડશે

Next Post

નોઘણવદર કેન્દ્રવર્તી શાળામાં પ્રવેશોત્સવ સાથે યોજાયું વૃક્ષારોપણ

dharmendravaghela

dharmendravaghela

Related News

સગીરા ઉપર દુષ્કર્મના કેસમાં વલભીપુરના આધેડને 20 વર્ષની સખ્ત કેદની સજા
ભાવનગર

સગીરા ઉપર દુષ્કર્મના કેસમાં વલભીપુરના આધેડને 20 વર્ષની સખ્ત કેદની સજા

June 25, 2026
એરપોર્ટ નજીક કન્સ્ટ્રક્શન સાઈટ પર કાચબાની મિજબાની માણતા બિહારના ચાર મજૂરો ઝડપાયા
ભાવનગર

એરપોર્ટ નજીક કન્સ્ટ્રક્શન સાઈટ પર કાચબાની મિજબાની માણતા બિહારના ચાર મજૂરો ઝડપાયા

June 25, 2026
બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા માતેશ્વરી જગદંબા સરસ્વતીજીનો ૬૧મો સ્મૃતિ દિન ઉજવાશે
ભાવનગર

બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા માતેશ્વરી જગદંબા સરસ્વતીજીનો ૬૧મો સ્મૃતિ દિન ઉજવાશે

June 25, 2026
Next Post
નોઘણવદર કેન્દ્રવર્તી શાળામાં પ્રવેશોત્સવ સાથે યોજાયું વૃક્ષારોપણ

નોઘણવદર કેન્દ્રવર્તી શાળામાં પ્રવેશોત્સવ સાથે યોજાયું વૃક્ષારોપણ

મંગળવારે ભગુડા માંગલધામનો 27મો પાટોત્સવ, અસંખ્ય ભાવિકો ઉમટી પડશે

લખનૌ અને કેન્યા દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને મોરારીબાપુ દ્વારા સહાય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.