ઉપરવાસમાં થયેલા ધોધમાર વરસાદને કારણે જેસર તાલુકાના ઉગલવાણ ગામે નદીમાં પાણીની ભારે આવક થઈ હતી. પૂરના પાણી ફરી વળતાં સ્થાનિક કોઝવે સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયો હતો અને રસ્તો બંધ થઈ ગયો હતો. રસ્તો બ્લોક થવાના કારણે ગ્રામજનો અને વાહનચાલકોને કલાકો સુધી ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, આખરે પૂરના પાણી ઓસરતાં કોઝવે ફરી ખુલ્લો થયો છે, જેથી વાહનવ્યવહાર પૂર્વવત થતાં સ્થાનિક લોકોએ મોટી રાહત અનુભવી છે.




