દેશભરમાં આજે ગુરુપૂર્ણિમા ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે સિહોરમાં આસ્થાભેર ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં કોયા ભગતની જગ્યા, ધોકાબાપુની જગ્યા, ગણેશ આશ્રમ, દાદાનીવાવ,ગૌતમેશ્વર, ઉસરડ જયરામબાપુની જગ્યા સહિત દરેક ગુરુઆશ્રમોમાં ભક્તોના ઘોડાપુર જોવા મળ્યા હતા અહીંયા ભોજન પ્રસાદ સહિતના આયોજનો થયા હતા.સિહોરના મોટાભાગના સ્થળોએ ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને ગુરૂપુજન, દર્શન તથા મહાપ્રસાદનો લાભ લીધો હતો.


પહેલાનાં સમયમાં વિદ્યાર્થી ગુરુનાં આશ્રમમાં શિક્ષા ગ્રહણ કરવા જતાં અને પછી શિષ્યો ગુરુને દક્ષિણા આપતાં હતાં આજે ગુરુના પૂજન સાથે પણ ગુરુ દક્ષિણા આપવામાં આવી હતી ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુનું સન્માન થાય છે. મંદિરોમાં પૂજા થાય છે. પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે. આ દિવસે ભક્તિભાવથી ગુરુનું પૂજન કરવાથી ગુરુનાં આશીર્વાદ મળે છે.અષાઢ સુદ પૂનમના દિવસે ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવે છે. ગુરુ અંતઃકરણના અંધકારને દૂર કરી આત્મજ્ઞાન કરાવે છે. ગુરુ અભેદનુ રહસ્ય જણાવીને ભેદમાં દર્શન કરવાની કળા શીખવે છે. ગુરુ દુઃખરૂપી સંસારમાં ગુરુકૃપા જ અમૂલ્ય ખજાનો છે.“ તસ્મૈ શ્રી ગરૂવે નમઃ




