સિહોરમાં દર વર્ષ માફક યોજાતી તિરંગા યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં નગરજનો રાજકીય સામાજિક આગેવાનો વિવિધ સંસ્થાઓ શિહોરની વિવિધ સ્કૂલો તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા આ યાત્રા શિહોરના ક્રિકેટ છાપરી ગ્રાઉન્ડમાંથી પ્રસ્થાન થઈ ખારાકુવા ચોક ખાતે પહોંચીએ હતી આ યાત્રા એક કિલો મીટરથી વધુ લાંબી અને ભવ્ય હતી વરસતા વરસાદમાં પણ તિરંગા યાત્રાનું સફળ આયોજન થયું હતું

આ યાત્રામાં મામલતદાર ઓફિસ સ્ટાફ નગરપાલિકા સ્ટાફ શિક્ષક ગણ વિદ્યાર્થીઓ વિવિધ સામાજિક સંસ્થાઓ રાજકીય આગેવાનો તેમજ મામલતદાર જાંબુચા, ભાજપા ના જીલ્લા પ્રમુખ દિગુભા ગોહિલ, જિલ્લા મહામંત્રી ગેમાભાઈ,રાકેશભાઈ છેલાણા, શહેર ભાજપ પ્રમુખ નિલેશભાઈ જાની, નગરપાલિકા પ્રમુખ જાગૃતીબેન રાઠોડ, કોંગ્રેસ પ્રમુખ કે કે ગોહિલ,વિપક્ષ નેતા જયરાજસિંહ મોરી, પોલીસ વિભાગ,યુવા યુગ પરિવર્તન સંગઠન ગ્રુપ તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા




