Wednesday, August 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દિલ્હી લાઠીચાર્જ વિવાદ: સુપ્રીમ કોર્ટે તપાસ માટે ઉચ્ચસ્તરીય પેનલ રચવાની કરી જાહેરાત

વિદ્યાર્થીઓ સામેની ફરિયાદો રદ કરવાના આપ્યા સંકેતો, સોશિયલ મીડિયા પર પરેશાન કરનારાઓ સામે પણ થશે તપાસ, કોઈને નહીં છોડાય

dharmendravaghela by dharmendravaghela
2026-08-19 11:48:38
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માગણી સાથે ૨૦મી જુલાઇએ દિલ્હીના જંતર મંતરેથી સંસદ માર્ચ દરમિયાન યુવાનો પર દિલ્હી પોલીસ દ્વારા બર્બર લાઠીચાર્જ કરાયો હતો, જેમાં અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. આ લાઠીચાર્જની તપાસ માટે સુપ્રીમ કોર્ટે એક પેનલની રચનાની જાહેરાત કરી છે. જેમાં સુપ્રીમના નિવૃત જજ, હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ, પૂર્વ ડીજીપી, સીબીઆઇના પૂર્વ ડાયરેક્ટર અને અન્યોનો સમાવેશ કરવામાં આવશે. હાલ સુપ્રીમે સભ્યોના નામો અંગે અભિપ્રાય મંગાવ્યા છે, બુધવારે સત્તાવાર આદેશ અપાશે.
યુવાનો પર દિલ્હી પોલીસના લાઠીચાર્જને લઇને સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ થઇ છે, જેની સંયુક્ત સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમાલ્યા બાગ્ચી અને વી મોહનાની બેંચે વિદ્યાર્થીઓ સામે દાખલ એફઆઇઆર અંગે વિગતો માગી હતી, સાથે જ કહ્યું હતું કે વિદ્યાર્થીઓની જિંદગી દાંવ પર છે, આપણે તે અંગે વિચાર કરવો પડશે. તેમનું ભવિષ્ય હજુ બાકી છે. તેમને વિરોધ કરવાનો બંધારણીય અધિકાર છે. હાલમાં એક પેનલને તપાસ સોંપવામાં આવશે, જે માટે સીબીઆઇના પૂર્વ વડા અને પૂર્વ ડીજીપી પાસેથી પહેલાથી જ સંમતિ મળી ગઇ છે, અન્ય નામો અંગે અભિપ્રાય લેવામાં આવશે.
એક યુવતીએ સુપ્રીમમાં અરજી કરીને એવો આરોપ લગાવ્યો હતો કે વિરોધ પ્રદર્શનોમાં જોડાવાને કારણે તેને સોશિયલ મીડિયા પર ખુબ પરેશાન કરવામાં આવી રહી છે. એવામાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે સ્પષ્ટતા કરી હતી કે જે કમિટીની રચના કરવામાં આવી રહી છે તે ઓનલાઇન પરેશાન કરવા સહિતના તમામ મુદ્દાઓની તપાસ કરશે. કોઇને પણ છોડવામાં નહીં આવે. સુપ્રીમે પ્રદર્શન સમયના વીડિયો, તસવીરો વગેરેને સ્ટોર કરવા આદેશ કર્યો હતો હવે જે કમિટી રચાશે તેને આ તમામ સામગ્રી સોંપવા સુપ્રીમ આદેશ કરશે તેવા સંકેતો આપ્યા હતા.જ્યારે કેન્દ્ર સરકાર તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું હતું કે પ્રદર્શન સ્થળે એવી ટેક્નોલોજી લગાવાઇ હતી કે જેના દ્વારા ક્રિમિનલ રેકોર્ડ ધરાવનારાઓની ઓળખ કરવામાં આવી હતી, આવા આશરે ૨૮૭૩ લોકોની ઓળખ થઇ છે. વિદ્યાર્થીઓની સામેની ફરિયાદ ચોક્કસ રદ થવી જોઇએ. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન એક અરજદાર તરફથી હાજર વકીલે કહ્યું હતું કે પ્રદર્શન દરમિયાન કેટલાક પોલીસકર્મીઓએ મહિલાઓની સાથે અભદ્ર વર્તન કર્યું, જેના વીડિયો છે. આવા પોલીસકર્મીઓ અધિકારીઓની સામે તાત્કાલીક પગલા લેવાની જરૂર છે. સુપ્રીમે કહ્યું હતું કે ઉચ્ચસ્તરીય કમિટીને થોડુ કામ કરવા દેવું જોઇએ, તમામ આદેશ અમે નહીં આપીએ. આ સાથે જ સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીઓ સામેની ફરિયાદો રદ કરવાના આદેશ આપવાના સંકેતો પણ આપ્યા છે સાથે જ કહ્યું છે કે તેમના ભવિષ્યનો સવાલ છે.
————————–

 

Tags: lathichargesupreme court
Previous Post

NTAમાંથી 600 પ્રોફેસર-નિષ્ણાતોને હટાવાયા

Next Post

બંગાળથી બિહાર-યુપી સુધી ભારે વરસાદથી પુરનો કહેર

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરાખંડ અને હિમાચલમાં કાટમાળ અને ખાણ ધસતા 3-3 કામદારો દટાયા
તાજા સમાચાર

ઉત્તરાખંડ અને હિમાચલમાં કાટમાળ અને ખાણ ધસતા 3-3 કામદારો દટાયા

August 19, 2026
કચ્છમાં હવાઈ સેવાનો વિસ્તાર વધ્યો – મુન્દ્રાથી રાજકોટ, જામનગર અને દીવ વચ્ચેની એર ટેક્સીની થશે મિની ફ્લાઈટની શરૂઆત
તાજા સમાચાર

કચ્છમાં હવાઈ સેવાનો વિસ્તાર વધ્યો – મુન્દ્રાથી રાજકોટ, જામનગર અને દીવ વચ્ચેની એર ટેક્સીની થશે મિની ફ્લાઈટની શરૂઆત

August 19, 2026
બંગાળથી બિહાર-યુપી સુધી ભારે વરસાદથી પુરનો કહેર
તાજા સમાચાર

બંગાળથી બિહાર-યુપી સુધી ભારે વરસાદથી પુરનો કહેર

August 19, 2026
Next Post
બંગાળથી બિહાર-યુપી સુધી ભારે વરસાદથી પુરનો કહેર

બંગાળથી બિહાર-યુપી સુધી ભારે વરસાદથી પુરનો કહેર

કચ્છમાં હવાઈ સેવાનો વિસ્તાર વધ્યો – મુન્દ્રાથી રાજકોટ, જામનગર અને દીવ વચ્ચેની એર ટેક્સીની થશે મિની ફ્લાઈટની શરૂઆત

કચ્છમાં હવાઈ સેવાનો વિસ્તાર વધ્યો - મુન્દ્રાથી રાજકોટ, જામનગર અને દીવ વચ્ચેની એર ટેક્સીની થશે મિની ફ્લાઈટની શરૂઆત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.