જનરલ બિપિન રાવતના નિધન બાદ ખાલી પડેલ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની જગ્યા આખરે ભરાઈ ગઈ છે. નિવૃત લેફ. જનરલ અનિલ ચોહાણને સરકારે નવા સીડીએસ તરીકે નિયુક્તી આપી છે. સીડીએસ તરીકે નિવૃત થનારા તેઓ બીજા લશ્કરી અધિકારી છે. દેશના પહેલા સીડીએસ જનરલ બિપિન રાવત હતા જેમનું ડિસેમ્બર 2021માં હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થયું હતું ત્યારથી આ હોદ્દો ખાલી પડ્યો હતો. નવા સીડીએસ અનિલ ચોહાણ 40 વર્ષની લશ્કરી કરીયર ધરાવે છે અને ભારતીય સેનાના એક બાહોશ અધિકારી છે.
લેફ.જનરલ અનિલ ચોહાણ 40 વર્ષની લશ્કરી સેવાનો બહોળો અનુભવ ધરાવે છે. અનિલ ચોહાણે ઘણા કમાન્ડ, સ્ટાફ અને બીજા મહત્વના હોદ્દાઓ શોભાવ્યાં છે અને તેઓ જમ્મુ કાશ્મીર, નોર્થ ઈસ્ટમાં આતંકવાર વિરોધી અભિયાનોમાં ખૂબ ઊંડો અનુભવ ધરાવે છે.
રક્ષા મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી જાણકારી અનુસાર અનિલ ચોહાણ ભારત સરકારના લશ્કરી બાબતોના સચિવ તરીકે પણ કામ કરશે. 18 મે, 1961ના રોજ જન્મેલા લેફ્ટિનેન્ટ જનરલ અનિલ ચૌહાણ 1981માં ભારતીય સેનાની 11 ગોરખા રાઇફલ્સમાં સામેલ થયા હતા. તેઓ નેશનલ ડિફેન્સ એકેડમી, ખડકવાસલા અને ઇન્ડિયન મિલિટરી એકેડેમી, દહેરાદૂનના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. મેજર જનરલ રેન્ક ધરાવતા આ અધિકારીએ નોર્ધન કમાન્ડના મહત્ત્વના બારામુલ્લા સેક્ટરમાં ઇન્ફન્ટ્રી ડિવિઝનની કમાન સંભાળી હતી. બાદમાં લેફ્ટનન્ટ જનરલ તરીકે તેમણે નોર્થ ઇસ્ટમાં એક કોર્પ્સની કમાન સંભાળી હતી. ત્યારબાદ સપ્ટેમ્બર 2019થી ઈસ્ટર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ બન્યા અને મે 2021માં રિટાયર થયા.