Friday, September 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આઝાદીના 75 વર્ષમાં પહેલીવાર સૌથી મોટી સંખ્યામાં ટૂરિસ્ટ પહોંચ્યા કાશ્મીર

જમ્મૂ કાશ્મીરમાં પર્યટકોની સંખ્યા 1.62 કરોડ રહી: 75 નવા પર્યટન સ્થળોને પણ પ્રોત્સાહન અપાયું

aaspassdaily by aaspassdaily
2022-10-07 11:07:53
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

જમ્મૂ કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કર્યા બાદથી કેન્દ્ર સરકાર સતત બદલાવની કોશિશ કરી રહી છે. જમ્મૂ કાશ્મીરમાં પર્યટનને પ્રોત્સાહન આપવાની કોશિશો પૂરજોશમાં ચાલી રહી છે, જે લગભગ સફળ પણ સાબિત થઈ રહી છે. આ વર્ષે રેકોર્ડ 1.62 કરોડ પર્યટકોએ જમ્મૂ કાશ્મીરની યાત્રા કરી, જે આઝાદી બાદ સૌથી વધારે છે. એક સરકારી પ્રવક્તાએ ગુરુવારે આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે આ કેન્દ્ર શાસિત પ્રદેશના સંપૂર્ણ વિકાસ અને બદલાવનું પ્રમાણ છે. તેમણે કહ્યું કે ત્રણ દશકાઓ બાદ કાશ્મીર લાખો પરીટકોને આકર્ષિત કરી રહ્યું છે.
પર્યટન વિશેષજ્ઞોનું કહેવું છે કે આ કાશ્મીર પર્યટનના સુવર્ણ યુગની વાપસી છે. તેમણે કહ્યું કે જમ્મૂ કાશ્મીર આવનાર પર્યટકોની રેકોર્ડ સંખ્યા કેન્દ્ર શાસિત પ્રદેશમાં થયેલા સમગ્ર વિકાસ અને બદલાવને દર્શાવે છે. પ્રવક્તાએ આગળ કહ્યું કે પર્યટન જમ્મૂ કાશ્મીરમાં રોજગારનો સૌથી મોટો સ્ત્રોત છે અને જાન્યુઆરી, 2022થી અત્યાર સુધીમાં 1.62 કરોડ પર્યટકોએ જમ્મૂ કાશ્મીરની યાત્રા કરી છે, જે સ્વતંત્રતાના 75 વર્ષોમા સૌથી વધારે આંકડો છે. તેમણે જણાવ્યું કે આ વર્ષે પહેલા આઠ મહિનાઓમાં 3.65 લાખ અમરનાથ યાત્રીઓ સહિત 20.5 લાખ પર્યટકોએ કાશ્મીરની યાત્રા કરી છે. પર્યટન આધારિત વ્યવસ્થા થવાથી પ્રવાસીઓના વધવાને કારણે પર્યટન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વર્ષે આવેલા પર્યટકો માત્ર કાશ્મીર તથા જમ્મૂ સુધી જ સિમિત નથી રહ્યા, પણ રાજૌરી-પુંછ જેવા પહાડી વિસ્તારોમાં પણ પ્રવાસીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. આ પાછળનું મુખ્ય કારણ એ પણ હતું કે પ્રશાસને 75 નવા પર્યટન સ્થળોને પણ પ્રોત્સાયન આપ્યું છે, જ્યાં ખૂબ જ ઓછી સંખ્યામાં લોકો જતા હતા.

Tags: J&KTourist Groth
Previous Post

પાટીલની ચેલેન્જ મનીષ સિસોદીયાએ સ્વીકારી, ભાજપના નિમંત્રણ પર ગુજરાતની સરકારી શાળાઓ જોવા આવશે

Next Post

જામનગર અને મુંબઈમાંથી 120 કરોડનું MD ડ્રગ ઝડપાયું

aaspassdaily

aaspassdaily

Related News

ભારત અને ચીન સાથે ધમકીની ભાષા વાપરવી ભારે પડશે, રશિયાની ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી!
આંતરરાષ્ટ્રીય

ભારત અને ચીન સાથે ધમકીની ભાષા વાપરવી ભારે પડશે, રશિયાની ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી!

September 19, 2025
અમેરિકાનું નાગરિકત્વ મેળવવું હવે વધુ મુશ્કેલ બનશે
આંતરરાષ્ટ્રીય

અમેરિકાનું નાગરિકત્વ મેળવવું હવે વધુ મુશ્કેલ બનશે

September 19, 2025
પહેલા ટેરિફ બોમ્બ, હવે ચાબહાર બંદરની અપાયેલી આવેલી છૂટ રદ
આંતરરાષ્ટ્રીય

પહેલા ટેરિફ બોમ્બ, હવે ચાબહાર બંદરની અપાયેલી આવેલી છૂટ રદ

September 19, 2025
Next Post
જામનગર અને મુંબઈમાંથી 120 કરોડનું MD ડ્રગ ઝડપાયું

જામનગર અને મુંબઈમાંથી 120 કરોડનું MD ડ્રગ ઝડપાયું

રૂપિયો સાવ ધોવાઇ ગયો, ડોલર સામે 82.33 ના સ્તરે

રૂપિયો સાવ ધોવાઇ ગયો, ડોલર સામે 82.33 ના સ્તરે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.