મહારાષ્ટ્રના અમરાવતીમાં દિવાળી પર આ દિવસોમાં 11 હજાર રૂપિયા પ્રતિ કિલોની મીઠાઈઓ ચર્ચામાં છે. આ મીઠાઈની કિંમત સાંભળતા જ લોકો તેના વિશે જાણવા અને જોવા માટે પહોંચી રહ્યા છે. દુકાનદારનું કહેવું છે કે આ વખતે દિવાળીને ધ્યાનમાં રાખીને આ મીઠાઈ ખાસ તૈયાર કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના અમરાવતીમાં રઘુવીર સ્વીટ્સ શોપમાં તૈયાર કરવામાં આવી છે. સોનાથી બનેલી આ મીઠાઈ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. જે પણ વ્યક્તિ આ મીઠાઈની કિંમત સાંભળે છે તો તેને આશ્ચર્ય થાય છે કે આ મીઠાઈમાં શું છે. તેને બનાવનાર દુકાનદાર ચંદ્રકાંત પોપટનો દાવો છે કે આ મીઠાઈ ડ્રાયફ્રૂટ્સમાંથી બનાવવામાં આવે છે અને તેના પર ગોલ્ડ વર્ક આપવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે પણ સારું છે, કારણ કે આયુર્વેદમાં સોનું અને સોનાના અર્કને સારું માનવામાં આવે છે.
આ ડેઝર્ટમાં બદામ, પિસ્તા અને અન્ય ડ્રાય ફ્રૂટ્સ ઉમેરવામાં આવે છે. તેને વેચતા દુકાનદારનું કહેવું છે કે આ મીઠાઈ માત્ર અમરાવતી જ નહીં વિદેશમાં પણ મોકલવામાં આવી રહી છે. આ મીઠાઈને જોવા અને ચાખવા ગ્રાહકો દુકાને પહોંચી રહ્યા છે.