ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલુ થઈ ગયું છે ત્યારે બીજા તબક્કાના મતદાન માટે પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે જેમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની આજે ઘણી જગ્યાઓ અને સીટો પર બેઠકો અને જનસભા થઇ રહી છે. ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદીનો આજે ભવ્ય રોડ શો યોજવાનો છે.
અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભવ્ય મેગા રોડ શો યોજાશે. અમદાવાદના નરોડાથી ચાંદખેડા સુધીના વિસ્તારમાં 38 કિમી લાંબો આ રોડ શો હશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પીએમ મોદી આજે અમદાવાદમાં પહેલો રોડ શો કરશે. તેમના મેગા રોડ શો માટે ભાજપ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. સૌથી લાંબા આ રોડ શોમાં અમદાવાદની 16 વિધાનસભા બેઠકો કવર કરવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદીના મેગા રોડ શોના કારણે પોલીસે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે. આપને જણાવી દઈએ કે, PM મોદીએ તાજેતરમાં સુરતમાં પણ 30 કિમી લાંબો રોડ શો કર્યો હતો. પીએમ મોદીની લોકચાહના જોતાં હજારો લોકો આ રોડ શોમાં ઉમટી પડે તેવી સંભાવના છે. PM મોદી અમદાવાદ શહેરની 13 વિધાનસભા અને ગાંધીનગર જિલ્લાની ગાંધીનગર દક્ષિણ વિધાનસભા એમ કુલ 14 વિધાનસભામાં રોડ શો કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કુલ 35 જગ્યાએ સ્વાગત કરવામાં આવશે. જેમાં અલગ અલગ વિધાનસભાના ભાજપના ઉમેદવારો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ સ્વાગત કરશે.
માણસા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભવ્ય જાહેરસભા સંબોધી જેમાં કોંગ્રેસને રાજકારણના પાઠ ભણાવતા કહ્યું, ” આખા દેશના 130 કરોડ લોકોને 230 કરોડ રસીના ડોઝ આપી કોરોનાથી સુરક્ષિત કરવાનું કામ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કર્યુ છે. પણ આ રાહુલબાબાએ એ વખતે એક ટ્વીટ કર્યુ કે કોઈ આ રસી ના મૂકાવતા આ રસી મૂકવાથી નુકસાન થશે, આ તો મોદી રસી છે.” વધુમાં તેમણે કહ્યું મિત્રો આ કોંગ્રેસીયાઓએ શરમાવું જોઈએ. રાજકારણ કરવા માટે અનેક મેદાનો પડ્યા છે આવી જાવ. પરંતુ કોરોના જેવા રોગચાળાની અંદર લોકોનો જીવ જતો હોય ત્યાં આગળ રાજકારણ ના કરવાનું હોય.” ત્યારે આજે શાહ સાણંદ APMC થી ઘાડિયા ચોકડી સુધી યોજશે રોડ-શો અને સાંજે 4 કલાકે વિસનગરમા સભા સબોંધશે અમિત શાહ અને રાત્રે 7 કલાકે કલોલના પચંવટી સર્કલ ખાતે સભા સંબોધશે.
કોંગ્રેસના રાષ્ટ્રિય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાતના બીજા તબક્કાના પ્રચાર માટે કોંગ્રેસ પણ મહેનત પર લાગી છે. કોંગ્રેસના રાષ્ટ્રિય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે કરશે ચૂંટણી પ્રચાર ઝાલોદ અને વાઘોડિયામાં મલ્લિકાર્જુન ખડગેની જનસભા યોજાશે સાથે જ અશોક ગેહલોત પણ સભાઓ યોજવાના છે. આજે ઝાલોદ, વોઘોડિયા, અસારવામાં અશોક ગેહલોતની જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથવ અમદાવાદ, ગાંધીનગરમાં ભૂપેન્દ્ર હુડાની જનસભા યોજશે. રાજસ્થાનના રાજકારણમાંથી વિરામ લઈને સચિન પાયલોટ પણ ગુજરાત પર ધ્યાન આપશે જેઓ અમદાવાદ, ગાંધીનગરમાં જનસભાનું આયોજન કરશે. આ સાથે જ કોંગ્રેસના વધુ એક નેતા જગદીશ ઠાકોર ગાંધીનગર, અમદાવાદમાં જનસભાનું આયોજન કરશે.