ગુજરાતના 18માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા બાદ તેઓ એક્શન મોડમાં આવી ગયા છે. તાજેતરમાં પદગ્રહણ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં જોવા મળ્યા છે. તેમણે તમામ મંત્રીઓને વિશેષ કામગીરી સોંપી છે અને મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓને 100 દિવસની કામગીરીનું લક્ષ્ય આપ્યું છે. તો વળી તેમણે ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી કરવા નિર્ણય લીધો છે.
ભ્રષ્ટાચારીઓ સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કાર્યવાહી કરવા મોટો નિર્ણય કર્યો છે. મહેસૂલ વિભાગનો ચાર્જ સંભાળતા જ CM ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લીધો છે. તાકેદારી આયોગના સંદર્ભના કેસોની કાર્યવાહી થશે. તેમજ પડતર કેસોમાં કાર્યવાહી કરવા માટે મહેસૂલ વિભાગે પરિપત્ર કર્યો છે. પડતર કેસની વિગતો કોમ્પ્યુટરાઈઝ કરવા સૂચન અપાયા છે.