વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પાકિસ્તાનના નેતા બિલાવલ ભુટ્ટોની ન્યૂયોર્કમાં કરવામાં આવેલી ટિપ્પણી પર આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કહ્યું કે સારું હોત કે પાકિસ્તાના વિદેશ મંત્રી પોતાની ‘કુંઠા’ પોતાના દેશમાં આતંકવાદી સંગઠનોના મુખ્ય કાવતરાખોરો પર નિકાળતા, જેમણે આતંકવાદને ‘દેશની નીતિ’ નો એક ભાગ બનાવી દીધો છે.
બાગચીએ કહ્યું ‘પાકિસ્તાન એક એવો દેશ છે જે ઓસામા બિન લાદેનનું એક શહીદના રૂપમાં મહિમામંડન કરે છે અને લખવી, હાફિજ સઇદ, મસૂદ અઝહર, સાજિદ મીર અને દાઉદ ઇબ્રાહિમ જેવા આતંકવાદીને આશરો આપે છે. કોઇ અન્ય દેશ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઘોષિત 126 આતંકવાદી, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઘોષિત 27 આતંકવાદી ગ્રુપ હોવાને લઇને ગર્વ કરી શકે નહી.
આ પહેલાં વિદેશ મંત્રી એસ. જયશંકરે ગુરૂવારે કહ્યું કે દુનિયા પાકિસ્તાનને આતંકવાદ્ના ‘કેન્દ્ર’ ના રૂપમાં જુએ છે અને પાકિસ્તાનને પોતાની હરકતોમાં સુધારો કરી એક સારો પડોશી બનાવાઅનો પ્રયત્ન કરવા માંગે છે. તેમણે અમેરિકી નેતા હિલેરી ક્લિંટનના ભારતના પડોશી દેશ પર આપવામાં આવેલા નિવેદનને પુનરાવર્તિત કર્યું, જેથી તેમણે કહ્યું કે જે લોકો પોતાના આંગણામાં સાપ પાળે છે, તે એક દિવસ તેને જ કરડે છે.