ગુજરાતમાં હવે જાહેરમાં 3 વ્યક્તિથી વધુ એકત્ર થયા કે ધરણા-દેખાવ આંદોલન સમયે પોલીસને ખુદને ગુન્હો નોંધવાની વ્યાપક સતાઓ આપવામાં આવી છે આ તો બીજી તરફ આ પ્રકારના જાહેર પ્રદર્શન, ધરણા, રેલી યોજવા માટે પોલીસ મંજુરી જરૂરી છે તે સમયે પરમીશન આપવાનો ઈન્કાર થાય તો તે માટે કારણ આપવાનું પોલીસ માટે ફરજીયાત છે! કે પછી પોલીસ તે કારણ ગુપ્ત રાખી શકે છે! આ અંગે હવે ગુજરાત હાઈકોર્ટ તેનો ચુકાદો આપશે.
2019માં સીટીઝન એમેન્ડમેન્ટ એકટ સામે વિરોધ પ્રદર્શન માટે એક મહિલાએ માંગેલી મંજુરી આપવાનો ઈન્કાર થતા તેણે આ મુદે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા અને શા માટે શાંતિપૂર્વકના ધરણા માટે ઈન્કાર કરાયો તેનું કારણ પોલીસ કમિશ્નરે આપવા ઈન્કાર કર્યા તે મુદો બનાવ્યો હતો. સ્વાતિ ગોસ્વામી નામના આ મહિલાએ કનોરીયા આર્ટ સેન્ટર ખાતે સી.એ.એ. વિરુદ્ધ ધરણા-પ્રદર્શન માટે મંજુરી માંગી હતી. પણ પોલીસ કમિશ્નર તરફથી ટ્રાફિક કાનુન વ્યવસ્થા વિ. મુદાઓ આગળ ધરી આ મંજુરીનો ઈન્કાર કરાયો હતો. પણ તે માટે કોઈ કારણ લેખીતમાં આપવા ઈન્કાર કર્યો હતો આ માટે માહિતીના અધિકાર હેઠળની અરજી પણ પોલીસ કમિશ્નરે નકારી હતી.
આ સામે સ્વાતિ ગોસ્વામીએ હાઈકોર્ટમાં અરજી કરી અન્ય સરકારી ઓથોરીટીની માફક પોલીસ કમિશ્નરે પણ તેના નિયમો અને નિયંત્રણો મુદે વેબસાઈટ પર માહિતી આપવી જોઈએ. વેબસાઈટ પર કડક નિયમો લખાયા છે પરંતુ તેની કોઈ માહિતી અપાઈ નથી જે આરટીઆઈની વિરુદ્ધ છે. જેની સામે દલીલ થઈ કે પોલીસની સ્પે. બ્રાન્ચ આરટીઆઈ હેઠળ આવતી નથી પણ પોલીસ કમિશ્નર જે પોલીસ કમિશ્નર એ કરી શકે નહી કે નિયમો ફકત ઓફિસ કામકાજ માટે છે. નાગરિકને જાણવાનો એ અધિકાર છે કે કયા નિયમ હેઠળ પોલીસ કમિશ્ર્નરે આ નિર્ણય લીધો. પોલીસ આ નિયમ ગુપ્ત છે તેવું કહી શકે નહી. કાનૂન કઈ રીતે ગુપ્ત હોઈ શકે તેવો પ્રશ્ન હાઈકોર્ટ સમક્ષ પુછાયો હતો. તેમાં સુપ્રીમ કોર્ટનો એક ચૂકાદો ટાંકવામાં આવ્યો કે, સરકાર કોઈ કાનૂન બનાવે તો તેની માહિતીનો નાગરિકને અધિકાર છે.