Tuesday, July 8, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કર્મચારી વર્ગને ‘2024’ પૂર્વે ખુશ કરવાની તૈયારી

કેન્દ્રીય બજેટમાં પગારદારને મોટી રાહતની સંભાવના, બેક-ટુ-બેઝીક: મોદી સરકાર હવે નાના વેપારી પગારદારની ‘ચિંતા’ કરશે

aaspassdaily by aaspassdaily
2023-01-11 12:29:55
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આગામી કેન્દ્રીય બજેટની તૈયારીઓ શરૂ થઈ છે અને નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા આગામી તા.1 ના રોજ રજુ થનારા કેન્દ્રીય બજેટમાં મીશન-2024 ને અમલમાં રાખીને કેન્દ્ર અને રાજયોનાં કરોડો કર્મચારીઓ ઉપરાંત પગારદાર વર્ગને મોટી રાહત આપે તેવી ધારણા છે. નાણામંત્રીએ અગાઉ જ આવકવેરામાં બે સીસ્ટમ દાખલ કરીને કરરાહત સાથે રૂા.2.50 લાખ સુધી કરમુકિત અને કરરાહત વગર રૂા.5 લાખ સુધીની આવક પર કોઈ ટેકસ નહિં અથવા મામુલી ટેકસ તે યોજના દાખલ કરી છે.
કોવિડ કાળથી મોંઘવારી સહીતના મોરચે સતત માર ખાઈ રહેલા વિશાળ કર્મચારી વર્ગને ‘2024’ પૂર્વે ખુશ કરવા નિર્મલા સીતારામનની તૈયારી છે. કોવીડ કાળ પછી એક તરફ વ્યાપાર-કોર્પોરેટ ક્ષેત્ર નાના લઘુ ઉદ્યોગોને અનેક વખત રાહત આપવામાં આવી છે. પણ પગારદાર વર્ગ કે ફીકસ ઈન્કમ ધરાવતા વર્ગોને મોંઘવારી અને વ્યાજદર વધારાનો માર જ સહન કરવો પડયો છે. આ સ્થિતિમાં હવે 2024 અને તે પુર્વેની 9 રાજયોની ધારાસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પગારદાર વર્ગ માટે કોઈ મોટી રાહતની જોગવાઈની જાહેરાત થઈ શકે છે. જેમાં હોમ લોન ધારકને વ્યાજ તથા પ્રિન્સીપલ એકાઉન્ટમાં જે વધારાની રકમ ભરવી પડે છે તેની તેની આવકવેરા મુકિત મર્યાદા જે રૂા.2.50 લાખ છે તે વધારી રૂા.3.50 લાખ કે રૂા.4 લાખ થઈ શકે છે.
પગારદાર વર્ગ ખાસ કરીને સરકારી અને કંપનીઓનાં પગારદારનો મોટો વર્ગ આવકવેરા કરદાતા છે અને જે રીતે 2020 ના કોરોના કાળ બાદ પરિસ્થિતિ બની છે તેમાં આ વર્ગને રાહત તો નહિં પણ મોંઘવારી સહીતની હાડમારીનો ભોગ બનવુ પડી રહ્યું છે.સરકારે આ ઉપરાંત સરકારી કર્મચારીનાં 18 માસનાં ડી.એ. (મોંઘવારી ભથ્થા)ની રકમ પણ ચુકવી નથી અને તેથી આડકતરો માર પડયો છે. નાણામંત્રી હાલ અર્થતંત્રને સંભાળી રાખવા અને ચૂંટણી જીતવાના ડબલ એજન્ડા સાથે બજેટ તૈયાર કરશે તે નિશ્ચીત છે.કોઈ મોટો ખર્ચ નહિં પણ કલ્યાણ યોજનાઓમાં નાણા વધુ ફાળવશે.

Tags: Budget-2024india
Previous Post

હવે ડીજીટલરૂપીનો બીજો તબકકો

Next Post

બજરંગદાસ બાપાની પુણ્યતિથીએ શહેરમાં ઠેર ઠેર મઢુલીઓ બનાવાઇ

aaspassdaily

aaspassdaily

Related News

રાયગઢના દરિયાકાંઠે દેખાઈ શંકાસ્પદ પાકિસ્તાની બોટ
તાજા સમાચાર

રાયગઢના દરિયાકાંઠે દેખાઈ શંકાસ્પદ પાકિસ્તાની બોટ

July 7, 2025
ગુજરાતમાં 5 વર્ષમાં ખાડાના લીધે 400થી વધુના મોત
તાજા સમાચાર

ગુજરાતમાં 5 વર્ષમાં ખાડાના લીધે 400થી વધુના મોત

July 7, 2025
હિમાચલ પ્રદેશમાં વરસાદથી ભારે તબાહી, 78 ના મોત
તાજા સમાચાર

હિમાચલ પ્રદેશમાં વરસાદથી ભારે તબાહી, 78 ના મોત

July 7, 2025
Next Post
બજરંગદાસ બાપાની પુણ્યતિથીએ શહેરમાં ઠેર ઠેર મઢુલીઓ બનાવાઇ

બજરંગદાસ બાપાની પુણ્યતિથીએ શહેરમાં ઠેર ઠેર મઢુલીઓ બનાવાઇ

બાઈક રેલી અને પ્રદર્શન સાથે માર્ગ સલામતી સપ્તાહનો થયેલો પ્રારંભ

બાઈક રેલી અને પ્રદર્શન સાથે માર્ગ સલામતી સપ્તાહનો થયેલો પ્રારંભ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.