Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

પીરમ ટાપુ અને અલંગની દીવાદાંડીને ટુરીસ્ટ પ્લેસ તરીકે વિકસાવશે કેન્દ્ર

સ્થાનિક લોકોને રોજગારી પુરી પાડવા સાથે કોસ્ટલ ટુરીઝમ વિકસાવવા કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ : ભાવનગર જિલ્લામાં સમુદ્ર મધ્યે આવેલ આગવી ઓળખ અને વિશેષતા ધરાવતા પીરમબેટ ટાપુના વિકાસ અને પ્રવાસનને વેગ મળવાની આશા

aaspassdaily by aaspassdaily
2023-02-08 13:53:09
in પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

કેન્દ્રીય જળ મંત્રાલય દ્વારા ગુજરાતમાં ૧૩ દીવાદાંડીને વૈશ્વિક સ્તરનું નઝરાણુ બનાવવા પ્રોજેક્ટ તૈયાર થયો છે. આ પ્રોજેક્ટમાં ભાવનગર જિલ્લાની બે દીવાદાંડીને સમાવાઇ છે. હાલના તબક્કે કેન્દ્રએ પીપીપી ધોરણે દીવાદાંડીનું પ્રમોશન કરવા નક્કી કર્યું છે જેમાં બે ખાનગી કંપનીઓએ રસ દાખવ્યો હોવાનું જાણવા મળ્યું છે. દીવાદાંડીના વિકાસ થકી કોસ્ટલ ટુરીઝમ વિકસે અને દરિયા કાંઠાના લોકોને રોજગારી મળી રહે તેવો આ પ્રયાસ છે. જેમાં ભાવનગર જિલ્લાની પીરમબેટ ટાપુ પરની તેમજ વિશ્વ વિખ્યાત અલંગ શિપબ્રેકીંગ યાર્ડમાં આવેલ દીવાદાંડીને ટુરીસ્ટ પ્લેસ તરીકે વિકસાવવા નિર્ણય થયો છે.


સમુદ્ર તટે રહેલી દીવાદાંડી વર્ષોથી વહાણો અને દરિયા ખેડૂ માટે એક અતિ જરૂરી સાધન છે. દરિયામાં ભુલા પડેલા વહાણો માટે તે ગાઇડની ભૂમિકા ભજવે છે. મોટાભાગના ટુરીસ્ટોને દીવાદાંડી વિશે ઓછો ખ્યાલ છે ત્યારે કેન્દ્ર સરકારે પ્રવાસના માધ્યમથી ટુરીસ્ટો દીવાદાંડી વિશે જાણી શકે ઉપરાંત કોસ્ટલ ટુરીઝમ વિકસે અને સ્થાનિક લોકોને રોજગારી મળે તેવા હેતુસર લાઇટ હાઉસ પ્રોજેક્ટ વિચાર્યો છે. જેમાં કેન્દ્રીય જળ મંત્રાલયે ગુજરાતના ૧૩ દીવાદાંડીની પસંદગી કરી છે જેમાં પીરમબેટ, અલંગ ઉપરાંત માંડવી, જાફરાબાદ, જેગડી, ઓખા, સામીયાણી, દાવલપીર, કચ્છીગઢ, પોરબંદર, માંગરોળ, વલસાડ ખાડી અને હજીરાની દીવાદાંડીનો સમાવેશ થાય છે.
કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ અનુસાર દીવાદાંડીને ટુરીસ્ટ ડેસ્ટીનેશન તરીકે પ્રમોટ કરી તબક્કાવાર પ્રોજેક્ટ આગળ ધપાવાશે અને વૈશ્વિક સ્તરનું નઝરાણુ બનાવવા પ્રયાસો થશે. ભાવનગર જિલ્લામાં સમુદ્ર મધ્યે આવેલ પીરમબેટ ટાપુ આગવી ઓળખ અને વિશેષતા ધરાવે છે ત્યારે કેન્દ્ર સરકારના આ પ્રોજેક્ટથી પીરમબેટના વિકાસ અને પ્રવાસનને ચોક્કસ વેગ મળશે તેવી આશા જન્મી છે.

Tags: alangbhavnagarlight housepirambet
Previous Post

ભાવનગર જિલ્લામાં કાલે એનેમિયા મુકત અંગે ટેસ્ટ, ટ્રીટ અને ટોક કેમ્પ

Next Post

પાલીતાણાના વડીયામાં ઘોડીપાસાનો જુગાર રમતા ચાર શખ્સ ઝડપાયા

aaspassdaily

aaspassdaily

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post

પાલીતાણાના વડીયામાં ઘોડીપાસાનો જુગાર રમતા ચાર શખ્સ ઝડપાયા

ટ્વિટર, ફેસબુક,ઇન્સ્ટાગ્રામ ડાઉન થતા યુઝર્સ પરેશાન

ટ્વિટર, ફેસબુક,ઇન્સ્ટાગ્રામ ડાઉન થતા યુઝર્સ પરેશાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.