૭ માર્ચ બુધવારે ,શિશુવિહાર પ્રાંગણમાં ૮૩ વર્ષથી યોજાતા હોળી પર્વ પ્રસંગે જૂના વિદ્યાર્થીઓના સ્નેહમિલન તરીકે ફાગણ પૂર્ણિમા પ્રસંગે ઉજવાઈ ગયું.
હરીશભાઈ ભટ્ટ અને કમલેશભાઈ વેગડના માર્ગદર્શન નીચે ક્રિડાંગણના તાલીમાર્થીઓ દ્વારા ડંબેલ્સ, લેઝીમ, પગ ઘોડી અને લાઠીના પારંપરિક ભારતીય વ્યાયામ નું નિદર્શન થયું. આ પ્રસંગે શિશુવિહાર ની પ્રથમ ટુકડીના વિદ્યાર્થી સ્વ. મહાશ્વેતાબેન ત્રિપાઠીની સ્મૃતિમાં સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી અને આજીવન શિક્ષક કલ્યાણીબેન ત્રિવેદી અને રાજુભાઈ દવેનું વિશિષ્ટ અભિવાદન થયું. અમેરિકામાં સ્થાયી થયેલ સંસ્થાના વિદ્યાર્થી ઇલાબેન ચાતુર્વેદી અને જતીનભાઈ ભટ્ટ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સમારોહ માં 10 સ્કાઉટ તાલીમાર્થીઓનું નિયમિત વિદ્યાર્થી તરીકે અભિવાદન થયું .
હોળી પ્રાગટ્ય અને ધાણી ખજૂર ડાળીયા ના પ્રસાદ સાથે આનંદભેદ યોજાયેલ સમારોહમાં નિર્મોહીબેન ભટ્ટ દ્વારા હિન્દીમાં ભાષાંતર થયેલ આપત્તિ નિવારણ પુસ્તિકા નુ વિમોચન મંચસ્થ મહાનુભાવો દ્વારા થયું.. હોળી ઉત્સવ પ્રસંગે 5 દસકાની આયુષ વટાવી ગયેલા બધા વિદ્યાર્થીઓએ ફાગણના ગીતો પણ ગાયા હતા. પ્રતિવર્ષ યોજાતા પૂર્વ વિદ્યાર્થીઓના ભાવાત્મક કાર્યક્રમનું સંચાલન ડોક્ટર નાનકભાઈ ભટ્ટે કર્યું હતું.