વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં જે લોકોએ પથ્થરમારો કર્યો છે તે ઘટનાને હર્ષ સંઘવીએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી. હર્ષ સંઘવીએ પથ્થરમારો કરનારાઓને ચેતવણી આપી હતી કે, રામનવમીની યાત્રામાં જે કોઈ લોકોએ પથ્થર નાંખ્યા છે તે ભવિષ્યમાં ક્યારેય પથ્થર તરફ જોશે નહી તેવા કડક પગલા ભરવામાં આવશે.




