રેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકોએ ઉનાળાની શરૂઆત જ આકરી થઈ રહી છે. ત્યારે જિલ્લામાં પાણીનો પોકાર શરૂ થયો છે. લખતરના ઢાંકીથી દ્વારકા સુધી પાણી નર્મદા કેનાલ દ્વારા આવી રહ્યું છે. ત્યારે છેવાડા સુધી પાણી પહોંચે તેવા આયોજનો સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યાં છે. પરંતુ પાઇપલાઇનો જ્યાંથી પસાર થાય છે, ત્યાંથી ભાંગતોડ કરી અને મોટી માત્રામાં પાણી ચોરી કરી અને ખેડૂતો પોતાના પિયત વાવણી કરેલા ખેતરોમાં પીવડાવી દેતા હોય છે.
…મુળી તાલુકાના દાણાવાળા ગામે અને દિગસર ગામ ખાતે 1200 જેટલા ગામોને આ યોજના થકી પાણી પહોંચાડવામાં દેકારો શરૂ થયો છે. ત્યારે પાણી પુરવઠો પૂરતા પ્રમાણમાં ન પહોંચવાના કારણે દેકારો બોલ્યો હતો. આથી તંત્ર દ્વારા તાકીદે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દાણાવાડા અને દીગસર ગામે સાત જેટલા ખેડૂતો લાઈનમાં ભંગાણ કરી અને ગેરકાયદેસર રીતે પાણી મેળવતા હોવાનું પુરવાર થયું હતું. સાત ખેડૂતો પાણી ચોરી કરતા ઝડપાયા હતા. જેથી આ સાત ખેડૂતો સામે હાલમાં પાણી ચોરી અંગેની ફરિયાદ પણ નોંધવામાં આવી છે.





