કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાને જાહેર કરવામાં આવ્યા છે જ્યારે ડીકે શિવકુમારને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. બુધવારે મોડી રાત્રે કોંગ્રેસ પક્ષ તરફથી આ જાહેરાત કરાઇ છે. બેંગ્લુરુમાં 20 તારીખે શપથ સમારોહ યોજાશે તેવી જાહેરાત કરાઇ છે.
કોંગ્રેસ હાઈકમાન્ડના નિર્ણય બાદ બેંગલુરુમાં સિદ્ધારમૈયા કેમ્પમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડીકે શિવકુમારે ચાર દિવસની ટગ-ઓફ વોર પછી હાઈકમાન્ડ સમક્ષ આત્મસમર્પણ કરવું પડ્યું હતું. કર્ણાટકના સીએમનો નિર્ણય કોંગ્રેસ હાઈકમાન્ડ માટે ઘણો મુશ્કેલ હતો. બુધવારે દરેક ક્ષણે સમીકરણો બદલાતા રહ્યા હતા,.
હાઈકમાન્ડે સરકારના પાંચ વર્ષના કાર્યકાળમાં સિદ્ધારમૈયાને ત્રણ વર્ષ માટે અને ડીકે શિવકુમારને છેલ્લા બે વર્ષ માટે સીએમ બનાવવા પર સહમતિ દર્શાવી હતી. જો કે, સૂત્રો જણાવે છે કે ધારાસભ્ય દળની બેઠકમાં ડીકે શિવકુમાર બે સીએમ ફોર્મ્યુલાથી અસંમત હતા. આટલું જ નહીં, શિવકુમાર સીએમ પદની નીચે કંઈપણ સ્વીકારવા તૈયાર નહોતા, ત્યારપછી કોંગ્રેસના કર્ણાટક પ્રમુખ ડીકે શિવકુમાર અને વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાના સમર્થકોએ પોસ્ટર લગાવવાનું શરૂ કર્યું. સમર્થકોએ સિદ્ધારમૈયા અને ડીકેને સીએમ બનાવવા માટે બેંગલુરુમાં દરેક જગ્યાએ પોસ્ટર ચોંટાડ્યા હતા, જ્યારે દિલ્હીમાં રાહુલ ગાંધી અને ખડગેએ બંને નેતાઓ સાથે કલાકો સુધી મેરેથોન બેઠક કરી હતી.
બુધવારે મોડી રાત્રે એક દિવસની કવાયત પછી, પાર્ટીના નેતાએ કડક નિર્ણય લીધો હતો. કર્ણાટકના સીએમ અને સિદ્ધારમૈયા, કુરુબા સમુદાયમાંથી આવતા, ફરી એકવાર કર્ણાટકના સીએમ માટે હાઈકમાન્ડની પસંદગી તરીકે ઉભરી આવ્યા. રાહુલ ગાંધીએ નિરીક્ષકોને તમામ ધારાસભ્યો સાથે વન ટુ વન વાત કરવાનું કહ્યું હતું. જો સૂત્રોનું માનીએ તો, આમાંથી 80 થી વધુ ધારાસભ્યોએ સિદ્ધારમૈયાની તરફેણમાં મતદાન કર્યું હતું, દેખીતી રીતે હાઈકમાન્ડે તે ઇનપુટના આધારે આ નિર્ણય લીધો છે.




