પાકિસ્તાન ક્રિકેટ બૉર્ડના પ્રમુખ નઝમ સેઠીએ આઈસીસીના ચેરમેન ગ્રેગ બાર્કલેને વિશ્ર્વ કપ દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર કટ્ટર હરિફ ભારત વિરુદ્ધ રમવાને લઈને પોતાની આશંકાઓ વ્યક્ત કરી દીધી છે. પીસીબી પોતાની મેચ કોલકત્તા, ચેન્નાઈ અથવા બેંગ્લોરમાં રમવા માંગે છે.
સેઠીએ બાર્કલે અને અલાર્ડિસને વાકેફ કરી દીધા છે કે પાકિસ્તાન અમદાવાદમાં મેચ રમવા નથી માંગતું. જો નોકઆઉટ અથવા ફાઈનલ મેચ હશે તો ટીમ અહીં રમશે. આઈસીસીને અનુરોધ કર્યો કે જો પાકિસ્તાન સરકાર ભારત જઈને વર્લ્ડકપ રમવાની પરવાનગી આપે છે તો પછી પાકિસ્તાનની મેચ ચેન્નાઈ, બેંગ્લોર અથવા કોલકત્તામાં રમાડવામાં આવે.પાકિસ્તાન બૉર્ડ અમદાવાદમાં ટીમની સુરક્ષાને લઈને ચિંતીત છે.



