કેદારનાથ મંદિરની પાછળ સાતથી આઠ વાગ્યાની આસપાસ ગ્લેશિયર તૂટવાની ઘટના સામે આવી છે. આ એવલાંચ મંદિરથી 4 કિમી પાછળ હતું. રિપોર્ટમાં જણાવ્યા અનુાર, ગ્લેશિયર તૂટીને ગાંધી સરોવરમાં જઈને પડ્યો, તેને લઈને વિસ્તારમાં બરફનું તોફાન જોવા મળ્યું હતું. શ્રદ્ધાળુઓ આ ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. આ ઘટનાથી કોઈ નુકસાન થયું નથી.
સરકારે ભીડને કંટ્રોલ કરવા માટે કેદારનાથ યાત્રા માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન 10 જૂન સુધી અને ઓનલાઈન રજીસ્ટ્રેશન 15 જૂન સુધી રોકી દીધું છે. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 40 લાખથી વધારે તીર્થયાત્રીઓએ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.





