ભારત સરકાર દિલ્હી-અજમેર રૂટ પર વંદે ભારત (Vande Bharat Top Speed) ને તેની ટોપ સ્પીડ પર ચલાવવાની યોજના બનાવી રહી છે. રેલવે આ રૂટ પર 180 કિમી પ્રતિ કલાકની ઝડપે વંદે ભારત ચલાવવા માગે છે. અત્યાર સુધી વંદે ભારત માત્ર ટ્રાયલ દરમિયાન જ આ ઝડપે દોડી છે. હાલમાં ચાલી રહેલી વંદે ભારતની ઓપરેટિંગ સ્પીડ લિમિટ 160 કિમી પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે. પરંતુ એક જ રૂટ છે જ્યાં આ સ્પીડ અચીવ કરવામાં આવે છે. આ સિવાય, તે મોટાભાગના અન્ય રૂટ પર 110 kmph અને કેટલાક પર 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.
દિલ્હી-ભોપાલ રૂટના હઝરત નિઝામુદ્દીન-આગ્રા સેક્શન પર વંદે ભારત 161 કિમી પ્રતિ કલાકની ઝડપે ચલાવવામાં આવી છે. ગતિમાન પણ આ રૂટ પર 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી ચૂકી છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે, આ રૂટ પર જ કેમ વંદે ભારતને તેની ટોપ સ્પીડમાં દોડાવવામાં આવે છે. જ્યારે તેની મહત્તમ મર્યાદિત સ્પીડ 160 કિલોમીટર પ્રતિ કલાક છે.
પહેલું કારણ
તેનું એક મોટું કારણ ટ્રેક્સની મજબૂતાઈ છે. ભારતમાં જે રેલવે પાટા નાખવામાં આવ્યા છે તે લાંબા સમય સુધી 180 કે 160ની ઝડપને ટકી શકે તેટલા સક્ષમ નથી. તેના માટે રેલવે સતત રેલ નેટવર્કમાં સુધારો કરી રહ્યું છે. આપને જણાવી દઈએ કે, તેની ટોપ સ્પીડને સ્પર્શવામાં સક્ષમ ન હોવા છતાં, વંદે ભારતની એવરેજ સ્પીડ એક જ રૂટ પર ચાલતી રાજધાની અને શતાબ્દી કરતા ઘણી વધારે છે. દિલ્હી-વારાણસી વંદે ભારતે સૌથી વધુ સરેરાશ 95 કિમી પ્રતિ કલાકની ઝડપ જાળવી રાખી છે. જો કે, આ સૌથી ઝડપી દોડતી વંદે ભારત નથી.
બીજુ કારણ
બીજું સૌથી મોટું કારણ સિગ્નલિંગ સિસ્ટમ છે. આ કારણોસર હઝરત નિઝામુદ્દીનથી રાની કમલાપતિ (હબીબગંજ) સ્ટેશન જતી વંદે ભારત એક્સપ્રેસ 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે. હકીકતમાં અન્ય રૂટ પર ટ્રેનના ચાલકને સિગ્નલ મેન્યુઅલી પણ જોવું પડે છે. જો સ્પીડ 140 થી ઉપર જાય છે તો તેમના માટે સિગ્નલ લાલ છે કે લીલું છે તે જોવાનું મુશ્કેલ બની શકે છે. જેના કારણે મોટી દુર્ઘટના થવાની સંભાવના વધી જાય છે.
ભોપાલ રૂટ પર કેમ ગતિ પકડે છે
દિલ્હી-ભોપાલ રૂટ પર નિઝામુદ્દીનથી આગ્રા સુધીના સેક્શન પર ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. અહીં ટ્રેક પર એક ટ્રાન્સમીટર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે જે વંદે ભારતમાં હાજર રીસીવરને સંદેશ મોકલે છે કે આગળ સિગ્નલ કેવું છે. એટલા માટે અહીં લોકો પાયલોટને બહારનું સિગ્નલ જોવાની જરૂર નથી પડતી. જો કેબિનમાં રેડ સિગ્નલનો મેસેજ આવે છે, તો લોકો પાયલોટ ધીમે ધીમે બ્રેક લગાવે છે. જો કોઈ કારણોસર તે આમ કરી શકતો નથી, તો થોડી દૂર ચાલ્યા પછી ટ્રેન આપમેળે બંધ થઈ જાય છે.






