વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા પાસેથી 209 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હોતો. પરંતુ 18 મહિના પછી ટીમ ઈન્ડિયામાં વાપસી કરનાર અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણેએ ચોક્કસપણે પોતાની ઈનિંગ્સથી બધાને પ્રભાવિત કર્યા. રહાણેને તાજેતરની ICC ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં પણ તેનો ફાયદો મળ્યો છે. જ્યાં તે WTC ફાઈનલ પહેલા ટોપ 100ની યાદીમાં પણ સામેલ નહોતો.
WTC ફાઇનલ મેચમાં અજિંક્ય રહાણે 89 અને 46 રનની ઇનિંગ રમ્યો હતો. રહાણે હવે સીધી છલાંગ લગાવીને ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં 37માં સ્થાને પહોંચી ગયો છે. રહાણેની વાપસી સાથે ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટમાં નંબર-5 પોઝિશનની સમસ્યા પણ દૂર થયેલી માનવામાં આવી શકે છે.
ઓલરાઉન્ડર ખેલાડી શાર્દુલ ઠાકુરને પણ ICC દ્વારા જારી કરાયેલી તાજેતરની રેન્કિંગમાં ફાયદો થયો છે. શાર્દુલે ફાઇનલ મેચમાં પોતાની શાનદાર અડધી સદીની ઇનિંગ્સના આધારે 6 સ્થાનની છલાંગ લગાવી છે અને હવે તે 94માં સ્થાને પહોંચી ગયો છે. વર્તમાન બેટિંગ રેન્કિંગમાં ટોચના 10માં હાલમાં ભારતનો રિષભ પંત સામેલ છે, જે 10માં સ્થાને છે.
રવિચંદ્રન અશ્વિનનું શાસન ચાલુ છે
ઓસ્ટ્રેલિયા સામેની WTC ફાઇનલમાં ભારતીય ટીમે અનુભવી ઑફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિન વિના મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધો હતો. તેમ છતાં, અશ્વિન ICC ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં પોતાનું નંબર વન સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો. અત્યારે અશ્વિન 860 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે જ્યારે જેમ્સ એન્ડરસન 850 રેટિંગ પોઈન્ટ સાથે બીજા નંબર પર છે.
ઓલરાઉન્ડર રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજાનો પાવર સતત જોવા મળી રહ્યો છે. જાડેજા 434 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. બીજી તરફ અશ્વિન છે જેના 352 રેટિંગ પોઈન્ટ છે.
ઓલરાઉન્ડર રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજાનો પાવર સતત જોવા મળી રહ્યો છે. જાડેજા 434 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. બીજી તરફ અશ્વિન છે જેના 352 રેટિંગ પોઈન્ટ છે.




