Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કેન્દ્ર સરકારની ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમમાં ગુજરાતના મંદિરો દ્વારા 200 કિલો સોનુ જમા

અંબાજી મંદિરે 168 કિલો, સોમનાથ મંદિર 6 કિલો સોનુ ડીપોઝીટ કર્યુ

aaspassdaily by aaspassdaily
2023-06-29 11:48:25
in તાજા સમાચાર, પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

વિશ્વમાં સોનાની ખરીદીમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા ભારતમાં નાગરિકો પાસે તો અઢળક સોનુ છે જ સાથોસાથ મંદિરો પાસે પણ સોનાનો ભંડાર છે. ગુજરાતના મંદિરો પણ બાકાત નથી. ગુજરાતના મંદિરોએ કેન્દ્ર સરકારની ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમમાં 200 કિલો સોનુ ડિપોઝીટ કર્યુ હોવાના સંકેત છે.
આઈઆઈએમ અમદાવાદના ઈન્ડીયા ગોલ્ડ પોલીસી સેન્ટર દ્વારા કરાયેલા અભ્યાસમાં એવુ તારણ નીકળ્યું છે કે કેન્દ્ર સરકારની ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમમાં માત્ર 0.22 ટકા ઘરેલુ સોનુ ડિપોઝીટ થયુ છે જયારે અંબાજી તથા સોમનાથ મંદિરે ટુંકાગાળા માટે 200 કિલો સોનુ ડિપોઝીટ કરાવ્યુ છે. વર્તમાન ભાવ પ્રમાણે સોનાની આ કિંમત 120.6 કરોડ થવા જાય છે. સોનાનો દસ ગ્રામનો ભાવ રૂા.60300 છે.
જાહેર ક્ષેત્રની બેંકના એક સીનીયર અધિકારીએ કહ્યું કે મંદિરોને દાન પેટે સોનુ પણ મળતુ હોય છે. અનેક મંદિરો પાસે સોનાનો ભંડાર છે તે સરકારી સ્કીમમાં જમા કરાવવા કેન્દ્ર આહવાન કરે છે. મધ્યમ ગાળા માટે સોનાની ડિપોઝીટ પર વાર્ષિક 2.25 ટકા તથા લાંબાગાળાની ડિપોઝીટ પર 2.50 ટકા વ્યાજ મળે છે. મંદિરો માટે તો આ લાભની જ વાત છે. કારણ કે ડિપોઝીટ પાકે ત્યારે બજારભાવ ઉપરાંત વ્યાજ પણ મળે છે.
ગુજરાતમાં સૌથી વધુ સોનુ ડિપોઝીટ કરાવવામાં અંબાજી મંદિર મોખરે છે. મંદિર ટ્રસ્ટના સભ્ય એવા બનાસકાંઠા જીલ્લા કલેકટર વરૂણકુમાર બરનવાલે જણાવ્યું હતું કે મંદિર દ્વારા ત્રણ તબકકે 168 કિલો સોનુ ડિપોઝીટ કરાવાયુ છે. 140 કિલો સોનાનો શણગારમાં ઉપયોગ થઈ રહ્યો છે. ભાવિકો સોના મારફત દાન આપે જ છે. ઉપરાંત દાનપેટીમાંથી પણ સોનુ કે દાગીના નીકળતા હોય છે. સોમનાથ મંદિરમાં દાન પેટે મળતા સોનાનો ઉપયોગ મોટાભાગે મંદિરને સોનાથી મઢવામાં કરે છે છતાં ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમમાં 6 કિલો સોનુ ડિપોઝીટ કર્યુ છે. ટ્રસ્ટી પી.કે.લહેરીએ કહ્યું કે 150 કિલો સોનુ મંદિરના ઉપયોગમાં લેવાયુ છે.
બેંકીંગ સૂત્રોએ કહ્યું કે ડાકોરના રણછોડરાયજી મંદિરમાં પણ દાનમાં સોનુ મળે છે અને તેના દ્વારા પણ સરકારી સ્કીમમાં જમા કરાવાયુ છે. જો કે, સચોટ આંકડો પ્રાપ્ય નથી. દ્વારકાના દ્વારકાધીશ મંદિરના કમલેશ શાહે કહ્યું કે મંદિરે કયારેય સરકારી સ્કીમમાં સોનુ ડિપોઝીટ કરાવ્યુ નથી. કારણ કે મંદિરને ભાગ્યે જ સોના સ્વરૂપે દાન મળે છે.

Previous Post

સી.આર.પાટીલ દિલ્હી ! ગુજરાત અને કર્ણાટકમાં નવા પ્રમુખોની થઈ શકે છે નિમણૂક ?

Next Post

PM આવાસ પર યોજાઇ 5 કલાક મેરેથોન બેઠક

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ભારતે યુનાઇટેડ નેશનનના વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલનની યજમાની કરવાનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો

April 9, 2026
આંતરરાષ્ટ્રીય

ઇરાનના દસ મુદ્દાના પ્રસ્તાવને વ્હાઇટ હાઉસે ડસ્ટબીનમાં ફેંક્યો

April 9, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

યુદ્ધવિરામ બાદ ઈરાને હોર્મુઝ ખાડી ખોલી : રૂટ બદલ્યો

April 9, 2026
Next Post
PM આવાસ પર યોજાઇ 5 કલાક મેરેથોન બેઠક

PM આવાસ પર યોજાઇ 5 કલાક મેરેથોન બેઠક

ગુજરાતમાં ત્રણ મહિનામાં 15000 લોકોને હાર્ટએટેક

ગુજરાતમાં ત્રણ મહિનામાં 15000 લોકોને હાર્ટએટેક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.