આખા રાજ્યમાં વાહન ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા એકદમ સરળ અને જડપી ચાલી રહી છે, પરંતુ ફક્ત ભાવનગરમાં છેલ્લા 12 દિવસથી વાહનોના વેચાણ બાદ નામ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા ઠપ્પ થઇ ગઇ છે. કોમ્પ્યુટર પધ્ધતિમાં વાહન ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા વેરીફાઇ થઇ જાય છે, પરંતુ તેની અંતિમ પ્રક્રિયા એપ્રૂવલ હોય છે અને તેમાં અક્ષમ્ય વિલંબ કરવામાં આવી રહ્યો છે.
ભાવનગર આરટીઓમાં વાહનના વેચાણ બાદ નામ ટ્રાન્ફર કરવાની પ્રક્રિયા છેલ્લા 13 દિવસથી ઠપ્પ બની જતા વાહન ધારકોમાં રોષ છે. વાહનનું વેચાણ થઇ ગયા બાદ નવા માલીકના નામે વાહન ન થાય અને તે દરમિયાન અકસ્માત થાય તો જવાબદારી કોની? તે અંગેના તકરારના કિસ્સા બની શકે છે.
વાહનોના વેચાણ બાદ તેના નામ ટ્રાન્ફસર અંગેની પ્રક્રિયા બંને પક્ષના લોકો માટે મહત્વપૂર્ણ હોય છે. આરટીઓમાં નિયત નમૂનામાં અરજી કર્યા બાદ વાહન ટ્રાન્ફસરની પ્રક્રિયા આગળ ધપાવવામાં આવે છે, અને તેનું નિયત સમયમર્યાદામાં નિકાલ લાવવો પણ જરૂરી હોય છે.
આ સમયગાળા દરમિયાન જો વાહનને અકસ્માત થાય તો વાહન વેચનાર અને ખરીદનાર વચ્ચે તકરારના કિસ્સા બની શકે તેમ છે. ભાવનગર આરટીઓમાં વાહનના નામ ટ્રાન્ફર અંગેની કામગીરી ઠપ થઈ જવા અંગે અરજદારોમાં પણ ભારે નારાજગી પ્રવર્તી રહી છે અને ઉચ્ચ કક્ષાએ રજુઆત થવાની છે.





