ચંદ્રયાન-3ની સફળતા પછી ઇસરો 2 સપ્ટેમ્બર 2023માં આદિત્ય-એલ1 મિશનને લૉન્ચ કરવા જઇ રહ્યું છે. લૉન્ચિંગ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી થશે. અમદાવાદમાં ઇસરોના સ્પેસ એપ્લીકેશન સેન્ટરના ડિરેક્ટર નીલેશ એમ.દેસાઇએ કહ્યું કે સ્પેસક્રાફ્ટ તૈયાર છે, લૉન્ચ માટે રેડી છે.
નીલેશ દેસાઇએ કહ્યું કે, 15 લાખ કિલોમીટરની યાત્રા 127 દિવસમાં પૂર્ણ કરશે. આ હેલો ઓર્બિટમાં તૈનાત કરવામાં આવશે. જ્યાં L1 પોઇન્ટ હોય છે. આ પોઇન્ટ સૂર્ય અને ધરતી વચ્ચે સ્થિત હોય છે પરંતુ સૂર્યથી ધરતીનું અંતર તુલનામાં માત્ર 1 ટકા છે. આ મિશનને PSLV રોકેટથી લોન્ચ કરવામાં આવશે.
આદિત્ય એલ-1 મિશન સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં રાખવામાં આવ્યો છે.હવે તેને રોકેટમાં લગાવવામાં આવશે. લોકો આદિત્ય-એલ1ને સૂર્યયાન પણ કહી રહ્યાં છે. આદિત્ય-એલ1 ભારતનું પ્રથમ સોલર મિશન છે. આ મિશન સાથે સબંધિત સૌથી મહત્ત્વપૂર્ણ પેલોડ વિજિબલ લાઇન એમિસન કોરોનાગ્રાફ (VELC) છે. આ પેલોડને ઇન્ડિયન ઇંસ્ટીટડ્યૂટ ઓફ એસ્ટ્રોફિજિક્સે બનાવી છે. સૂર્યયાનમાં સાત પેલોડ્સ છે, જેમાંથી છ પેલોડ્સ ઇસરો અને અન્ય સંસ્થાઓએ બનાવ્યા છે.
આદિત્ય-એલ1 સ્પેસક્રાફ્ટને ધરતી અને સૂર્ય વચ્ચે એલ1 ઓર્બિટમાં રાખવામાં આવશે. સૂર્ય અને ધરતીની સિસ્ટમ વચ્ચે હાજર પ્રથમ લેરેજિયન પોઇન્ટ. અહીં આદિત્ય એલ1 તૈનાત થશે. લેરેજિયન પોઇન્ટ અસલમાં અવકાશનું પાર્કિગ સ્પેસ છે. જ્યાં કેટલાક ઉપગ્રહ તૈનાત કરવામાં આવ્યા છે. ભારતનું સૂર્યયાન ધરતીથી 15 લાખ કિલોમીટર દૂર સ્થિત આ પોઇન્ટ પર તૈનાત થશે. આ જગ્યાએથી તે સૂર્યનું અધ્યયન કરશે. તે સૂર્યની નજીક નહીં જાય.
સૂર્યયાનમાં લાગેલુ VELC સૂર્યની HD તસવીર લેશે.આ સ્પેસક્રાફ્ટને PSLV રોકેટથી લોન્ચ કરવામાં આવશે. વીઇએલસી પેલોડના પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર રાઘવેન્દ્ર પ્રસાદે કહ્યું કે આ પેલોડમાં લાગેલો વૈજ્ઞાનિક કેમેરા સૂર્યની હાઇ રિજોલ્યૂશન તસવીર લેશે. સાથે જ સ્પેક્ટ્રોસ્કોપી અને પોલેરીમેટ્રી પણ કરશે.






