Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home બિઝનેસ

RBI ગવર્નરે રેપો રેટ પર કરી મોટી જાહેરાત, 6.5% પર રાખ્યો યથાવત

aaspassdaily by aaspassdaily
2023-10-06 17:44:23
in બિઝનેસ
Share on FacebookShare on Twitter

RBIની મોનેટરી પોલિસી કમિટીએ તહેવારો પહેલા લોકોને ફરી એકવાર મોટી ભેટ આપી છે. રેપો રેટ સતત ચોથી વખત 6.5 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. નાણાકીય નીતિ સમિતિની બેઠક બાદ રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, “તમામ સંબંધિત પાસાઓ પર વિગતવાર ચર્ચા કર્યા પછી, નાણાકીય નીતિ સમિતિએ સર્વસંમતિથી રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે.” આ સમયગાળા દરમિયાન આરબીઆઈ ગવર્નરે જીડીપી અનુમાનમાં કોઈ ફેરફાર કર્યો નથી.

તમામ MPC સભ્યો દરો સ્થિર રાખવાની તરફેણમાં હતા

આરબીઆઈ ગવર્નરે કહ્યું છે કે, સપ્ટેમ્બર મહિનામાં ફુગાવો ઘટવાની આશા છે. RBI ગવર્નરે કહ્યું છે કે, રેપો રેટમાં વધારાની અસર અર્થવ્યવસ્થા પર દેખાઈ રહી છે. આરબીઆઈ ગવર્નરના મતે ઊંચો મોંઘવારી દર અર્થતંત્ર માટે ખતરો છે. ગવર્નરના જણાવ્યા મુજબ, MPCના છમાંથી પાંચ સભ્યો અનુકૂળ વલણ જાળવી રાખવાની તરફેણમાં હતા. MPCના તમામ સભ્યોએ દરો સ્થિર રાખવાની તરફેણમાં સંમતિ દર્શાવી છે.

FY24ના બીજા ક્વાર્ટર માટે વૃદ્ધિનો અંદાજ 6.5% પર યથાવત

આરબીઆઈ ગવર્નરે પોતાના સંબોધનમાં કહ્યું કે, સરકારી ખર્ચને કારણે રોકાણની ગતિ વધી છે. Q2FY24 માટે વૃદ્ધિનો અંદાજ 6.5% પર જાળવી રાખવામાં આવ્યો છે. ત્રીજા ક્વાર્ટર માટે વૃદ્ધિ દરનો અંદાજ પણ 6% પર યથાવત રાખવામાં આવ્યો છે. આ દરમિયાન આરબીઆઈ ગવર્નરે કહ્યું છે કે, પોલિસી રેટ લાંબા સમય સુધી ઊંચા દર પર રહેવાની અપેક્ષા છે.

RBI ગવર્નરે મોંઘવારી પર આ વાત કહી

આરબીઆઈ ગવર્નરે પોતાના સંબોધનમાં કહ્યું કે, ટામેટાના ભાવ ઘટવાને કારણે મોંઘવારી ઘટવાની શક્યતા વધી ગઈ છે. FY24 માટે ફુગાવાનો અંદાજ 5.4 ટકા પર જાળવી રાખવામાં આવ્યો છે. બીજા ક્વાર્ટર માટે ફુગાવાનો અનુમાન 6.2%થી વધારીને 6.4% કરવામાં આવ્યો છે.

RBI ગવર્નરે બેંકોને આપી આ સલાહ

તેમના સંબોધન દરમિયાન, આરબીઆઈ ગવર્નરે બેંકો અને એનબીએફસીને તેમની સર્વેલન્સ સિસ્ટમને મજબૂત બનાવવાની સલાહ આપી હતી. તેમણે બેંકોને લોન આપવા માટે તેમના વધારાના ભંડોળનો ઉપયોગ કરવા જણાવ્યું છે. આરબીઆઈ ગવર્નરે શહેરી સહકારી બેંકો માટે ગોલ્ડ લોનની મર્યાદા રૂ. 2 લાખથી વધારીને રૂ. 4 લાખ કરવાની જાહેરાત કરી છે. શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે આરબીઆઈ વૈશ્વિક પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે અને નાણાકીય સ્થિરતા જાળવવા માટે સક્રિય રીતે કાર્ય કરવાનું ચાલુ રાખશે. તેમણે કહ્યું કે, વૈશ્વિક નાણાકીય લેન્ડસ્કેપ ઝડપથી બદલાઈ રહ્યું છે અને સંભવિત જોખમો ઊભા થઈ શકે છે.

Previous Post

ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની Jio Martનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો, કહી આ વાત

Next Post

મોંઘવારી દરને લઈને RBI ગવર્નરની મોટી જાહેરાત, કહ્યું- વિશ્વ માટે ભારત…

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

શું તમારી પાસે પણ છે ક્રેડિટ કાર્ડ પરંતુ તેનો ઉપયોગ કરતા નથી, તો થઈ શકે છે આ નુકસાન!

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

દિવાળીમાં ભેળસેળયુક્ત મીઠાઈઓથી રહેજો સાવચેત, વેચાણ કરનાર સામે સરકારની લાલ આંખ!

October 31, 2023
વિરાટ કોહલીના જન્મદિવસની ઈડન ગાર્ડનમાં ખાસ તૈયારીઓ! 5 નવેમ્બરે અહીં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો
તાજા સમાચાર

સસ્તા ભાડામાં વંદે ભારત જેવી સુવિધા આપવા આવી રહી છે ‘વંદે સાધારણ એક્સપ્રેસ’! રફ્તાર અને ટેક્નોલોજી જાણી તમે પણ કહેશો વાહ..!

October 30, 2023
Next Post
પાપારાઝી પર ગુસ્સે થયો ‘એનિમલ’ અભિનેતા રણબીર કપૂર, કહ્યું- બહાર જાઓ, વીડિયો થયો વાયરલ

મોંઘવારી દરને લઈને RBI ગવર્નરની મોટી જાહેરાત, કહ્યું- વિશ્વ માટે ભારત...

પાપારાઝી પર ગુસ્સે થયો ‘એનિમલ’ અભિનેતા રણબીર કપૂર, કહ્યું- બહાર જાઓ, વીડિયો થયો વાયરલ

એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટ ટીમે સેમિફાઇનલમાં બાંગ્લાદેશને હરાવી ફાઇનલમાં કર્યો પ્રવેશ, સિલ્વર મેડલ સુનિશ્ચિત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.