ગુજરાત હાઇકોર્ટે મહત્વનો હુકમ આપતા જણાવ્યું કે, હિંદુ શાસ્ત્રોક્ત વિધિથી ભારતમાં લગ્ન કરેલ દંપતીને ભારતની અદાલતનો ફેંસલો પહેલો લાગુ પડે. પતિ અથવા પત્ની વિદેશી નાગરિક હોય તેમ છતાં પણ હિન્દુ વિધિ પૂર્ણ ભારતમાં લગ્ન થયા હોય તો પછી ભારત દેશનો કાયદો પહેલો લાગુ પડે.
ભારતની કોર્ટે કરેલા હુકમથી વિપરીત અન્ય દેશમાં છૂટાછેડા માટે હુકમ મેળવાય તો તે ભારતની અદાલતનું અપમાન ગણાય. જેથી ગુજરાત ગુજરાત હાઇકોર્ટે પતિ સામે કોર્ટના હુકમના તિરસ્કાર બદલ કાર્યવાહી કરવા હુકમ કરેલો છે. પતિને કોર્ટના હુકમની અવમાનના માટે પ્રાથમિક રીતે કોર્ટે આરોપી ગણી રૂબરૂ હાજર રહેવા કર્યો આદેશ પત્ની મૂળ યુનાઇટેડ કિંગડમની નાગરિક હોવા છતાં ભારતમાં કરેલ લગ્નના આધાર પર ભારતીય કાયદો લાગુ પડે તેવી કોર્ટમાં રજૂઆત થઈ હતી.
અરજદારના વકીલ બ્રિજેશ ત્રિવેદી જણાવે છે કે “સોનલબેને કરછમાં લગ્ન કરેલા છે. તેઓ જન્મથી બ્રિટનના મૂળ રહેવાસી છે. તેમના પતિએ કરછની કોર્ટમાં હુકમ લીધા પછી ઇંગ્લેન્ડની કોર્ટમાં છૂટાછેડાનો કેસ દાખલ કરેલો. જેમાં ગુજરાત હાઇકોર્ટે મનાય હુકમ આપેલ, આ મનાય હુકમ મળવા છતાં અને તેની બજવણી તેમને, તેના સોલિસિટરને અને ઇંગ્લેન્ડની કોર્ટને થયેલ હોવા છતાંય તેમનો કેસ આગળ વધાર્યો હતો અને છુટાછેડાની પ્રિલિમરી ડીક્રી લીધી હતી. સુપ્રીમ કોર્ટે મનાય હુકુમ સામેની ચેલેન્જ રદ કરેલ હોવા છતાં. છુટાછેડાની ફાઇનલ ડીક્રી ઈંગ્લેન્ડની કોર્ટમાં લીધી, કન્ટેમ્પટ કોર્ટે કહ્યું કે પૂરતા પૂરાવ મુકો, પહેલી અપીલમાં જ કોર્ટે જણાવ્યું કે, કોર્ટના હુકમની અવમાનના છે તેનો કેસ કરી શકો છો. જે મુજબ અમે અરજી કરતા ગુજરાત હાઈકોર્ટે આ નિર્યણ લીધો છે. 18 તારીખે પતિને ચાર્જ ફ્રેમ કરવા હાજર રહેવાનો હુકમ કરેલ છે તેમાં પણ સુપ્રીમ કોટર્ના ચુકાદોનો ઉલ્લ્લેખ કરી કહ્યું છે. હિંદુ શાસ્ત્રોક્ત વિધિથી ભારતમાં લગ્ન કરેલ તો ભારતના કાયદા લાગુ પડે અન્ય દેશની કોર્ટમાં કેસ ચલાવી ભારતની કોર્ટના હુકમની અવમાનના ન કરી શકાય”





