તહેવારનાં સમયમાં ખાંડની ઉપલબ્ધતા વધારવા અને સંઘરાખોરી ડામવા સરકારે મોટા પગલા લીધા છે. સરકારે બધા ખાંડના વેપારીઓ છૂટક અને જથ્થાબંધ વિક્રેતાઓને 17 ઓકટોબર સુધીમાં સરકારી પોર્ટલ પર પોતાના સ્ટોકનો ખુલાસો કરવાની અંતિમ ચેતવણી આપી છે.સરકારે કહ્યુ છે કે આમ નહિં કરવા પર દંડ કરવામાં આવશે અને પ્રતિબંધ લગાવવામાં આવશે. જાણવા મળતી વિગત મુજબ ખાદ્ય મંત્રાલય 31 ઓકટોબર બાદ ખાંડની નિકાસ પર રોક લગાવવાની ભલામણ સરકારને કરી છે.આ વર્ષે વરસાદના કારણે ઓછુ ઉત્પાદન અને તહેવારોનાં સમયમાં વધતી માંગને લઈને આ નિર્ણય લેવામાં આવી શકે છે. ઘરેલુ ખાંડ ઉત્પાદન 15 સપ્ટેમ્બર 2023 સુધી 32.86 મીલીયન ટનની નજીક રહયું છે.જે ગત વર્ષની સીઝનથી ઓછુ છે
ખાદ્ય મંત્રાલયે 23 સપ્ટેમ્બરે પણ એક આદેશ જાહેર કરીને બધા ખાંડ હિત ધારકોને આદેશ જાહેર કર્યો હતો કે તેઓ મંત્રાલયની વેબસાઈટ પર સાપ્તાહીક રીતે પોતાના સ્ટોકની સ્થિતિ જાહેર કરે મંત્રાલયનું કહેવુ છે કે એવા અનેક મામલા છે જયાં ખાંડ વેપારીઓ નિયમીત રીતે પોતાના સ્ટોકનો ખુલાસો નથી કરી રહ્યા. ચાલુ સીઝનમાં ખાંડનું ઉત્પાદન ઘટવાના કારણે ખાંડના ભાવ ઉંચા રહેવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.ઈકરાની રિચર્સ રિપોર્ટ મુજબ એપ્રિલ-જૂલાઈ 2022 દરમ્યાન ઘરેલુ ખાંડના દામ 36 રૂપિયા કિલો હતા તે ઓગસ્ટ, સપ્ટેમ્બર 2023 દરમ્યાન 37 માંથી 39 રૂપિયા થઈ ગયા.