સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય પીઠ સમલૈગિક લગ્નને કાયદાકીય માન્યતાની માંગ પર મંગળવારે ચુકાદો આપશે. સુપ્રીમ કોર્ટે 10 દિવસ સુધી સુનાવણી કર્યા પછી 11 મેએ આ મુદ્દા પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં 20 અરજી છે, જેમાં સમલૈગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવાની માંગ કરવામાં આવી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ સંજય કિશન કૌલ, એસ રવીન્દ્ર ભટ, હિમા કોહલી અને પીએસ નરસિમ્હાની પીઠે સુનાવણી કરીને નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. અરજીમાં વિશેષ લગ્ન અધિનિયમ અને અન્ય કાયદાને ભેદભાવ ધરાવતો ગણાવતા પડકાર આપવામાં આવ્યો છે.
સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાને પૂછ્યું હતું કે શું સરકાર સમલૈગિક લગ્નને કાયદાકીય માન્યતા આપ્યા વગર તેને સામાજિક કલ્યાણનો લાભ આપવા તૈયાર છે? શું તેમણે કેટલાક સામાજિક અધિકાર આપવામાં આવી શકે છે? સોલિસિટર જનરલે સરકાર પાસેથી આદેશ લઇને કોર્ટને જણાવ્યું હતું કે સમલૈગિક કપલની વ્યવહારિક તકલીફો દૂર કરવા અને તેમણે કેટલોક લાભ આપવાના ઉપાયો પર કેન્દ્ર સરકારે સકારાત્મક પ્રતિક્રિયા આપી છે.
તુષાર મહેતાએ કહ્યું હતું કે આ મામલે એકથી વધુ મંત્રાલયના સમન્વયની જરૂર પડશે, માટે કેન્દ્ર સરકાર કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરશે. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સમલૈગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવાની માંગનો વિરોધ કર્યો હતો. કેન્દ્ર સરકારે કહ્યુ હતું કે ભારતની પરંપરાગત વિધાયી નીતિમાં પરંપરાગત પુરૂષ અને પરંપરાગત મહિલાઓને માન્યતા આપવામાં આવી છે. તમામ ભારતીય કાયદામાં પુરૂષ અને મહિલાઓને પરંપરાગત સમજમાં પરિભાષિત કરવામાં આવ્યા છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે જ્યારે તેની પર પ્રથમ વખત ચર્ચા થઇ રહી છે તો શું આ પહેલા સંસદ કે રાજ્ય વિધાનસભામાં ના જવુ જોઇએ? તેમણે કહ્યું કે હવે આ વસ્તુને લઇને કોઇ રીતનો કલંક જોડાયેલો નથી. સંસદે તેમના અધિકાર, પસંદ, પ્રાઇવેસીને સ્વીકાર કરી છે.