બાગેશ્વર બાબા ફરી એકવાર ગુજરાત આવ્યા છે ત્યારે બીજી તરફ શક્તિ પર્વ નવરાત્રિની છે. આ વખતે કેટલીક જગ્યાઓ પર ગરબામાં “તિલક નહીં તો પ્રવેશ નહીં” અંગેની સૂચનાઓ આપવામાં આવી હતી. આ સ્થિતિ વચ્ચે અંબાજી પધારેલા બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ નિવેદન આપ્યું હતું કે, ગરબામાં આવતો લોકોને ગંગાજળ તેમજ ગૌ મૂત્ર પીવડાવીને પ્રવેશ આપવો જોઈએ.
અંબાજીમાં બાબા બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીનાં દિવ્ય દરબાર પહેલા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં બાગેશ્વર બાબાએ કહ્યું હતું કે હિંદુઓને જગાડવા અને એકત્રિત કરવા તેઓ પગપાળા યાત્રા કરશે. સનાતન એ જ જીવનનો રસ્તો છે. તેનાથી જ વિશ્વમાં શાંતિ થશે. ધીરેન્દ્ર શાસ્ત્રી ભારતભરમાં પગપાળા યાત્રા કરશે. મારે ત્યાં બધાની અરજી સ્વીકાર થાય છે. મારી અરજી મા અંબાએ સ્વીકારી છે.
બાગેશ્વર બાબાએ કહ્યું કે, રાજ્યમાં વધી રહેલા લવ જેહાદનાં કિસ્સાઓને લઈ ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, સ્કૂલ-કોલેજમાં લવજેહાદ ફેલાઈ રહ્યો છે. નવરાત્રિમાં આયોજકોએ ગરબામાં આવતો લોકોને ગંગાજળ તેમજ ગૌ મૂત્ર પીવડાવીને પ્રવેશ આપવો જોઈએ. લવ જેહાદને બાબાએ હિડન ઝેર બતાવ્યું હતું. જે સ્કૂલ-કોલેજમાં ફેલાઈ રહ્યું છે. નવરાત્રીમાં ગરબામાં આવનાર વિધર્મી યુવકો પર બાબાએ પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાઈચારાના નામે આવતા વિધર્મી યુવકો પોતાની બેહનોને પણ ગરબામાં લાવી બેહેનચારો પણ નિભાવે.