શમીને વર્તમાન વર્લ્ડ કપમાં ત્રણ મેચમાં તક મળી નથી. હવે ભારતીય ટીમ ગુરુવારે પુણેમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. શમીનો વર્લ્ડ કપમાં શાનદાર રેકોર્ડ છે. તેણે અત્યાર સુધી 11 મેચમાં 31 વિકેટ ઝડપી છે. આમ છતાં તે બહાર બેઠો છે. સિરાજ અને બુમરાહ નવા બોલ સાથે સારી બોલિંગ કરી રહ્યા છે, જ્યારે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ત્રીજા ફાસ્ટ બોલરની ભૂમિકા સારી રીતે નિભાવી રહ્યા છે. જ્યારે, શાર્દુલ ઠાકુરે છેલ્લી બે મેચ રમી છે અને કુલ આઠ ઓવર ફેંકી છે.
સૂર્યકુમારે પણ રાહ જોવી પડશે
શાર્દુલ ટીમ માટે ચોથા ઝડપી બોલરનો વિકલ્પ આપી રહ્યો છે. જો સ્પિન ટ્રેક હોય તો શાર્દુલની જગ્યાએ કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાની જગ્યાએ અશ્વિનને તક આપવામાં આવે છે. એ જ રીતે શ્રેયસ અય્યર પણ ફિટ થયા બાદ સારો દેખાવ કરી રહ્યો છે અને સૂર્યકુમાર યાદવે પોતાના વારાની રાહ જોવી પડશે. ગિલની ગેરહાજરીમાં ઈશાન કિશન ઓપનિંગ વિકલ્પ તરીકે ઉપલબ્ધ છે. કેપ્ટન રોહિત શર્મા ટીમનું નેતૃત્વ સારી રીતે કરી રહ્યો છે.
એમએસકે પ્રસાદે ટીમ મેનેજમેન્ટની પ્રશંસા કરી
ભૂતપૂર્વ રાષ્ટ્રીય પસંદગીકાર એમએસકે પ્રસાદે કહ્યું કે, ટીમ મેનેજમેન્ટ સારું કામ કરી રહ્યું છે. અશ્વિન અને શાર્દુલનો સારો ઉપયોગ થયો છે. મને લાગે છે કે પ્લેઇંગ ઇલેવનમાં સિરાજની જગ્યાએ શમીને જગ્યા મળી શકે છે. જો ટીમ મેનેજમેન્ટ સિરાજને આરામ આપવા માંગે છે તો શમીને તક મળી શકે છે.