ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વર્લ્ડ કપ 2023ની 17મી મેચ ગુરુવારે પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયા આજે સતત ચોથી જીત નોંધાવવા ઈચ્છશે, જેથી કરીને તે પોઈન્ટ ટેબલમાં નંબર-1 પર યથાવત રહે. આ સાથે જ બાંગ્લાદેશની ટીમ જીતના પાટા પર પરત ફરવા માટે બેતાબ રહેશે.
કેવી છે પૂણેની પિચ?
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ICC વર્લ્ડ કપ 2023ની 17મી મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેદાનની પીચ બેટ્સમેનો માટે સ્વર્ગ ગણાય છે. પુણેના મેદાન પર ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ થાય છે અને ઘણા રન બને છે. જો કે, પિચ સ્પિન બોલરોને થોડી મદદ પણ પૂરી પાડે છે, જેનો લાભ ભારત અને બાંગ્લાદેશના સ્પિન બોલરો ઉઠાવી શકશે.
આંકડાઓ શું કહે છે?
પુણેના આ મેદાન પર અત્યાર સુધીમાં કુલ 7 વનડે મેચ રમાઈ છે. જેમાંથી પ્રથમ બેટિંગ કરનારી ટીમે 4માં વિજયનો સ્વાદ ચાખ્યો હતો. તે જ સમયે, પીછો કરતી ટીમ ત્રણ મેચમાં જીતી છે. આ મેદાન પર પ્રથમ દાવમાં સરેરાશ સ્કોર 307 રહ્યો છે. તે જ સમયે, બીજી ઇનિંગ્સમાં સરેરાશ સ્કોર 281 છે. એમસીએમાં સૌથી વધુ સ્કોર 356 હતો, જે ભારતે ઈંગ્લેન્ડ સામે બનાવ્યો હતો.