ભાવનગરના કુંભારવાડા વોર્ડના ભાજપના નગરસેવક બાબુભાઇ મેરના પુત્ર વિશાલ બાબુભાઇ મેર, પંકજ બાબુભાઇ મેર તેમજ મેહુલસિંહ અને રાહુલે એક સંપ કરી ભરતભાઇ મેરામભાઇ ડાંગરને ફોન કરી, ઘરની બહાર બોલાવી ભરતભાઇને કોઇ જુની અદાવતે ગાળો આપી હતી.ભરતભાઈએ ગાળો આપવાની ના પાડતાં પંકજ બાબુભાઇ મેર એ તેના પેન્ટના નેફામાંથી છરી કાઢી ભરતભાઇને માથા તેમજ પેટના ભાગે છરીના ઘા ઝીંકી, ગંભીર ઇજા કરી નાસી છુટ્યા હતા. એટલું જ નહીં ઇજાગ્રસ્ત ભરતભાઇ સર.ટી. હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા ત્યાં પણ ચારેય શખ્સોએ તીક્ષ્ણ હથિયારો લઇ ભરતભાઇને જાનથી મારી નાંખવા સર.ટી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ઘુસ્યા હતા. આ મુજબની કેફીયત સાથે ઇજાગ્રસ્ત ભરતભાઇએ હોÂસ્પટલના બીછાનેથી ફરિયાદ નોંધાવતા પોલીસે કોર્પોરેટરના પુત્ર વિશાલ મેર, પંકજ મેર, મેહુલસિંહ તેમજ રાહુલ વિરૂદ્ધ ગુનો નોંધી આ અંગે વધુ તપાસ બોરતળાવ પોલીસ ચલાવી રહી છે.
છેક સર ટી. હોસ્પિટલમાં ઘુસી જતા હુમલાખોરો : આ બનાવોથી અન્ય દર્દીઓ, ડોક્ટર અને તબીબી સ્ટાફની સુરક્ષાનું શું ?
ભાવનગરમાં ભાજપના કોર્પોરેટર બાબુભાઇ મેરના બે પુત્રો સહિત ચાર હુમલાખોરોએ જાણે પોલીસનું અÂસ્તત્વ જ ન હોય તેમ એક યુવાનને છરીના ઘા ઝીંકી બાદમાં છેક હોÂસ્પટલના ટ્રોમા સેન્ટરમાં ઘુસી ગયા હતાં તેવી કેફીયત પોલીસ ચોપડે નોંધાઇ છે. આમ પોલીસની ધાક કે અÂસ્તત્વ સામે આ ઘટના સવાલ ઉભા કરી રહી છે. આ પ્રથમ બનાવ નથી કે જેમાં હુમલાખોરો છેક હોÂસ્પટલમાં ઘુસી આવ્યા હોય. અગાઉ પણ થોડા દિવસ પૂર્વેની ઘટનામાં મુÂસ્લમ સમાજના બે પક્ષો વચ્ચે મારામારી બાદ હોÂસ્પટલ સુધી ડખ્ખો પહોંચ્યો હતો અને ફાયરીંગની ઘટના પણ સામે આવી હતી ત્યારે હોÂસ્પટલમાં દાખલ અન્ય દર્દીઓ તેમજ ડોક્ટર અને તબીબી સ્ટાફની સુરક્ષા જાખમાઇ છે. આથી તાકીદના સંજાગોમાં આવી ઘટનાઓને ગંભીરતાથી લઇ કમસે કમ હોÂસ્પટલના સંકુલમાં આ પ્રકારના બનાવોનું પુનરાવર્તન અટકે તે માટે પોલીસ કડક હાથે કામ લઇ ગુનાઓને ડામી દે તેવી પ્રબળ લોકમાંગ ઉઠી છે.