નવા વર્ષના પહેલા દિવસે સોમવારે મણિપુરમાં ફરી હિંસા ભડકી ઉઠી હતી. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા હોવાની અને ઘણા લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. મણિપુરમાં ફરી હિંસા ભડકતા રાજ્યના પાંચ જિલ્લાઓમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આ સાથે જ મુખ્યમંત્રી બિરેન સિંહે પણ મંત્રીઓની ઈમરજન્સી બેઠક બોલાવી છે.મળતી માહિતી મુજબ, આ ઘટના થૌબલ જિલ્લામાં બની હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, કેટલાક અજાણ્યા લોકો ઓટોમેટિક હથિયારોની સાથે વસૂલી કરવા આવ્યા હતા. હુમલા બાદ રોષે ભરાયેલા લોકોએ હુમલાખોરોના વાહનોને આગ ચાંપી દીધી હતી. એક વીડિયો સંદેશમાં મુખ્યમંત્રીએ શાંતિ જાળવવાની અપીલ કરી છે.