હજુ 30 જાન્યુઆરીએ 50 IASની બદલી કરવામાં આવી હતી. ત્યારે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત રાજ્યમાં ગૃહ વિભાગે એકસાથે હથિયારધારી 43 PSI અને 551 બિન હથિયારધારી PSIની બદલીનો ઓર્ડર કર્યો છે. હજી આ ઓર્ડર કાઢ્યાની ગણતરીની મિનિટોમાં જ સરકારે એકસાથે રાજ્યમાં 232 બિન હથિયારધારી PIની બદલીનો ઓર્ડર કર્યો છે.
ટૂંક સમયમાં IPS અધિકારીઓની બદલી પણ થવાની પૂરેપૂરી શક્યતા છે. 30 જાન્યુઆરીએ ગુજરાતના વિવિધ જિલ્લાના IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. 50 જેટલા અધિકારીઓની બદલી કરવામાં આવી હતી.