Saturday, August 23, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ચંદ્ર પરથી માટી લાવવા માટે ભારત 2028માં લોન્ચ કરશે ચંદ્રયાન-4

ઇસરોએ આગામી મિશનની તૈયારીઓ શરૂ કરી દીધી

dharmendravaghela by dharmendravaghela
2024-02-29 11:45:12
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ચંદ્રયાન-3 મિશનની સફળતા બાદ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગનાઈઝેશન(ઇસરો)એ આગામી મિશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેને ચંદ્રયાન-4 કહેવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય ચંદ્રમાંથી માટીના નમૂનાઓને પૃથ્વી પર પરત લાવવાનો છે. નોંધનીય છે કે, ચંદ્રયાન-4 2028ની આસપાસ લોન્ચ થશે. આ અંગેની જાણકારીએ ઈસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC)ના ડાયરેક્ટર ડો. નિલેશ દેસાઈએ આ અંગેની માહિતી આપી છે.
મિશન સાથે જોડાયેલી મહત્ત્વની માહિતી આપતા નિલેશે કહ્યું કે, આગામી 5 થી 7 વર્ષમાં અમે ચંદ્રની સપાટી પરથી સેમ્પલ એકત્ર કરવાનો પડકાર પુરો કરીશું. તેમણે કહ્યું કે આ મિશન ચંદ્રયાન-3 કરતા વધુ મુશ્કેલ હશે. જ્યારે ચંદ્રયાન-3 પાસે 30 કિલોનું રોવર હતું, ત્યારે ચંદ્રયાન-4માં 350 કિલો વજનનું રોવર હશે જે ચંદ્રની સપાટી પર ઉતરશે. આ મિશન ક્યાં લેન્ડ થશે તે વિસ્તાર હજુ શોધી શકાયો નથી. ચંદ્રયાન-4 મિશનમાં બે રોકેટની મદદ લેવામાં આવી શકે છે. આ દર્શાવે છે કે મિશન કેટલું મુશ્કેલ હશે. ભારતીય સ્પેસ એજન્સીએ પણ જાપાનીઝ સ્પેસ એજન્સી સાથે મળીને ચંદ્ર મિશન શરૂ કરવાની યોજના બનાવી છે. આ અંગે કામગીરી કરવામાં આવી રહી છે. ચંદ્રયાન-3 મિશનની સફળતાએ ભારતને અવકાશની દુનિયામાં નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે.
નોંધનીય છે કે, ચંદ્રયાન-3 23 ઓગસ્ટ 2023ના દિવસે ચંદ્રના સાઉથ પોલ પર સફળતાપૂર્વક ઉતર્યું હતું. જે બાદ આ દિવસ ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોએ લખાઈ ગયો હતો. 14 જુલાઈ 2023ના દિવસે ઈસરો દ્વારા ચંદ્રયાન-3 છોડાયું હતું જે 40 દિવસની અવકાશી સફર બાદ ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડ થયું હતું.

Tags: Chandrayaan-4indiaisro
Previous Post

જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાની તૈયારીઓ પૂરજોશમાં

Next Post

દિલ્હીમાં મહિલા ભાજપ કાર્યકરની હત્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈસરો દ્વારા સ્પેસ જગતમાં ખળભળાટ મચાવી દેવાની તૈયારી
તાજા સમાચાર

ઈસરો દ્વારા સ્પેસ જગતમાં ખળભળાટ મચાવી દેવાની તૈયારી

August 23, 2025
ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખપદને ધીકતો ધંધો બનાવ્યો પરિવારની આવક અબજો ડોલરમાં પહોંચી!
આંતરરાષ્ટ્રીય

ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખપદને ધીકતો ધંધો બનાવ્યો પરિવારની આવક અબજો ડોલરમાં પહોંચી!

August 23, 2025
ગંગા સ્નાન કરીને આવતા આંઠ શ્રદ્ધાળુઓના અકસ્માતમાં મોત
તાજા સમાચાર

ગંગા સ્નાન કરીને આવતા આંઠ શ્રદ્ધાળુઓના અકસ્માતમાં મોત

August 23, 2025
Next Post
દિલ્હીમાં મહિલા ભાજપ કાર્યકરની હત્યા

દિલ્હીમાં મહિલા ભાજપ કાર્યકરની હત્યા

કાશ્મીર અંગે કોઈ હસ્તક્ષેપ સહન નહીં કરીએ…

કાશ્મીર અંગે કોઈ હસ્તક્ષેપ સહન નહીં કરીએ…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.