દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ઝટકા પર ઝટકા મળી રહ્યાં છે. હવે સીબીઆઈએ તિહાડ જેલમાંથી તેમની ધરપકડ કરી છે. સીએમ અરવિંદ કેજરીવાલને બીજો મોટો ઝટકો લાગ્યો છે. પહેલા દિલ્હી હાઈકોર્ટે જામીનમાં રાહત ન આપી અને હવે મોડી રાતે સીબીઆઈએ કાર્યવાહી કરી દીધી. બુધવારે જામીન અરજીના નીચલી કોર્ટના દિલ્હી હાઈકોર્ટના સ્ટેની સામે કેજરીવાલની અરજીની સુનાવણી થાય તે પહેલાં જ સીબીઆઈ દ્વારા હાર જેલમાંથી તેમની ધરપકડ કરવામાં આવી છે.
દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં સીબીઆઈએ તિહાર જેલમાં જ સીએમ કેજરીવાલની પૂછપરછ કરી છે. આ પછી કેજરીવાલની ધરપકડ કરાઈ હતી. બુધવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને સીબીઆઈ કસ્ટડીની માગ કરશે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે આરોપ લગાવ્યો છે કે સરકાર અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ મોટું ષડયંત્ર રચી રહી છે. સીબીઆઈએ તેમની સામે ખોટો કેસ બનાવ્યો છે.