સોમવારે PM મોદીએ બ્રાઝિલની રાજધાની રિયો ડી જાનેરોમાં G20 સમિટના પ્રથમ સત્રને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે યુદ્ધની સૌથી વધુ અસર ગ્લોબલ સાઉથના દેશો પર પડી છે. આ દેશોમાં ખાદ્ય, ઈંધણ અને ખાતરની સમસ્યા ઉભી થઈ છે.
G20 સમિટના પ્રથમ સત્રની થીમ ‘ભૂખમરો અને ગરીબી સામે અકજૂટ’ હતી. પ્રથમ સત્રને સંબોધતા પીએમ મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિને જી-20ના સફળ સંગઠન માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે બ્રાઝિલે તેની અધ્યક્ષતામાં નવી દિલ્હી સમિટમાં લીધેલા નિર્ણયોને આગળ વધાર્યા છે. મોદીએ કહ્યું, ભારતે 10 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. અમે 80 કરોડ લોકોને મફત અનાજ આપી રહ્યા છીએ. 55 કરોડ લોકો મફત આરોગ્ય વીમાનો લાભ લઈ રહ્યા છે. ખેડૂતોને 20 અબજ ડોલર (1,68 હજાર કરોડ રૂપિયા) આપ્યા છે. ભારત વૈશ્વિક ખાદ્ય સુરક્ષામાં યોગદાન આપી રહ્યું છે. હાલમાં માલાવી, ઝામ્બિયા અને ઝિમ્બાબ્વેને મદદ પૂરી પાડવામાં આવી છે.
સમિટના પહેલા દિવસે મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, બ્રિટિશ PM કીર સ્ટારર, ઈટાલીના PM જ્યોર્જિયા મેલોની, પોર્ટુગલના PM લુઈસ મોન્ટેનેગ્રો, ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો અને નોર્વેના PM જોનાસ ગેર સ્ટોર સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર વાતચીત કરી હતી.સમિટ દરમિયાન પીએમ મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને પણ મળ્યા હતા અને તેમની વચ્ચે અનૌપચારિક વાતચીત થઈ હતી. પીએમ મોદીએ G20 સમિટના પ્રથમ બે સત્રો – ‘ભૂખ અને ગરીબી સામે એકતા’ અને ‘સરકારોની કામગીરીમાં સુધારો’ પર તેમના મહત્વપૂર્ણ સૂચનો પણ આપ્યા.
બ્રિટિશ પીએમ કીર સ્ટારમેરે મોદીને મળ્યા બાદ કહ્યું કે ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર વાટાઘાટો આવતા વર્ષે ફરી શરૂ કરવામાં આવશે.