અનંત સિધ્ધોની છત્ર છાયા એવા શાત ગિરિરાજ-પાલીતાણામાં પૂજય તપાગચ્છાધીરાજ આચાર્ય ભવગંત વિજય રામચંદ્રસુરીશ્વરજી મહારાજાનાં સમુદાયનાં વિશ્વ હિત ચિંતક પૂજય આચાર્ય શ્રીમદ વિજય કિર્તીયશસુરીશ્વરજી મહારાજા આદી શ્રમણ-શ્રમણી ભગવંતોની નીશ્રામાં જાલોરી ભવન તથા પારણા ભુવનમાં ૧૦ મુમુક્ષુઓની દીક્ષા તથા ૯ નુતન દીક્ષીતોની વડી દીક્ષા પ્રસંગે ત્રિદીવસીય પરમાત્માં ભકિત મહોત્સવ થશે.
10 યુવા મુમુક્ષોમાં ૧૨ વર્ષની આરાધ્યા કુમારી દોશી, ૧૪ વર્ષનાં માહિરકુમાર જૈન, ૧૯ વર્ષનાં ભવ્યકુમાર દોશી, ૨૧ વર્ષની સાવલીકુમારી શાહ, ૨૨ વર્ષની મિતાલીકુમારી ચૌહાણ, ૨૫ વર્ષનાં પ્રિયમકુમાર પોરવાલ, ૨૫ વર્ષની પ્રજ્ઞાકુમારી ચપદોડ (ગ્રેજયુએટ), ૨૬ વર્ષની શ્રેયાકુમારી સાકરીયા (એમ.બી.એ.), ૨૬ વર્ષની રીયાકુમારી શેઠ (સુરેન્દ્રનગર), ૩૩ વર્ષની અંકિતા કુમારી છાજેડ (એલ.એલ.બી) દીક્ષા લેશે તથા અગાઉ દીક્ષીત થયેલ ૯ નુતન દીક્ષીતોની વડી દીક્ષા થશે.
ત્રીદીવસીય મહોત્સવનાં પ્રથમ દીવસે આજે તા.૨૪ ના રોજ સવારે પંચ મહાવ્રતપુજા, બપોરે વસ્ત્રો રંગોત્સવ, સાંજે છાબ. પુજય શ્રીની હિતશીક્ષા- મહાપુજા, સન્માન સમારોહ તથા ચડાવા થશે. બીજા દિવસ તા.૨૫ના રોજ સવારે વર્ષીદાન યાત્રા-૧૧ કલાકે પુજયશ્રીનું પ્રવચન-ઉપકરણોનાં ચડાવા-સાંજે અંતીમ વાયણું-૭:૩૦ કલાકે અંતિમ વિદાય સમારંભ તથા વિદાય તિલકનાં ચડાવા થશે. તૃતિય દિવસ તા.૨૬ના રોજ સવારે ૬ કલાકે દીક્ષાર્થીઓનો દીક્ષા મંડપ પ્રવેશ ૭ કલાકે દીક્ષા વીધીનો મંગલ પ્રારંભ થશે તો ત્રિદીવસીય પરમાત્માં ભકિત મહોત્સવમાં પધારવા સન્માર્ગ પરીવાર વતી ધાનેરા નિવાસી લીલાવતીબેન નગીનદાસ અજબાણી પરીવારે આમંત્રણ આપેલ છે.